AMUL ના પદાધિકારીઓને અમિત શાહની હળવી ટકોર, ખેડૂતોની આવક પણ વધે તેવું કંઇક કરજો

અમૂલનું ૭૫ મું સ્થાપના વર્ષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. સહકારિતાને આર્થિક વ્‍યવસ્‍થાનો મજબુત સ્‍થંભ બનાવવા માટે સૌને સંકલ્‍પબધ્‍ધ થવા સહકારીતા મંત્રી અમિત શાહે હાકલ કરી હતી. રાષ્‍ટ્રીય સહકારી વિકાસ નિગમ (એન.સી.ડી.સી.) દ્ધારા ડેરી ઉદ્યોગના વિકાસ માટે રૂા.૫૦૦૦ હજાર કરોડની ડેરી સહકાર યોજનાનું લોન્‍ચીંગ કરવામાં આવ્યું હતું. 
AMUL ના પદાધિકારીઓને અમિત શાહની હળવી ટકોર, ખેડૂતોની આવક પણ વધે તેવું કંઇક કરજો

આણંદ : અમૂલનું ૭૫ મું સ્થાપના વર્ષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. સહકારિતાને આર્થિક વ્‍યવસ્‍થાનો મજબુત સ્‍થંભ બનાવવા માટે સૌને સંકલ્‍પબધ્‍ધ થવા સહકારીતા મંત્રી અમિત શાહે હાકલ કરી હતી. રાષ્‍ટ્રીય સહકારી વિકાસ નિગમ (એન.સી.ડી.સી.) દ્ધારા ડેરી ઉદ્યોગના વિકાસ માટે રૂા.૫૦૦૦ હજાર કરોડની ડેરી સહકાર યોજનાનું લોન્‍ચીંગ કરવામાં આવ્યું હતું. 

પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના પ્રધાનમંત્રીના સ્‍વપ્‍નને સાકાર કરવામાં સહકારિતા ક્ષેત્ર આગવા યોગદાન સાથે આત્‍મનિર્ભર ભારત બનાવવામાં પ્રેરક બળ પુરૂ પાડશે. સહકારથી સમૃધ્‍ધિના ધ્‍યેય મંત્ર સાથે સહકારિતા મંત્રાલય દ્ધારા સહકારી માળખાને વધુ સુદ્ધઢ બનાવવા જરૂરી બદલાવ કરવામાં આવશે. કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલા વિષયોને સહકારિતા સાથે જોડી આત્‍મનિર્ભર બનાવવાની દિશા તરફ આગળ વધુ વધવું પડશે. અમુલ જેવી સહકારી સંસ્‍થા આ ક્ષેત્રે પોતાનું યોગદાન આપે તે સમયની માંગ છે. સ્‍વ. ત્રિભુવનદાસ પટેલે સરદાર સાહેબની પ્રેરણાથી પુરૂષાર્થથી પરાકાષ્‍ઠા સર્જી અમુલને આજે વિશ્વ બ્રાન્‍ડ બનાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી  અમિત શાહના હસ્‍તે અમુલના વિવિધ પ્રકલ્‍પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્‍દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સહકારિતાને આર્થિક વ્‍યવસ્‍થાનો મજબુત સ્‍થંભ બનાવવા માટે સૌને સંકલ્‍પબધ્‍ધ થવા હાકલ કરી છે. તેમણે સ્‍પષ્‍ટપણે જણાવ્‍યું કે, પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના પ્રધાનમંત્રીના સ્‍વપ્‍નને સાકાર કરવામાં સહકારિતા ક્ષેત્ર આગવા યોગદાન સાથે આત્‍મનિર્ભર ભારત બનાવવામાં પ્રેરક બળ પુરૂ પાડશે. કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રાષ્‍ટ્રીય સહકારી વિકાસ નિગમ (એન.સી.ડી.સી.) દ્ધારા ડેરી ઉદ્યોગના વિકાસ માટે રૂા.૫૦૦૦ હજાર કરોડની ડેરી સહકાર યોજનાનું લોન્‍ચીંગ કર્યું હતું.

કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલની ઉપસ્‍થિતિમાં દુધ નગરી આણંદમાં એશિયાની સૌથી મોટી અમુલ ડેરીના પરિસરમાં નવનિર્મિત સરદાર સભા ગૃહનું લોકાર્પણ કરવા સાથે કણજરી દાણ ફેકટરીમાં રૂા.૧.૭૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ઇથનો વેટરનરી પ્રોડક્સનું લોન્‍ચીંગ કર્યું હતું. તેમણે ખાત્રજમાં ૨૫૦૦ મેટ્રીક ટન ચીજની સંગ્રહ ક્ષમતા ધરાવતા ચીઝ વેર હાઉસનું પણ લોકાર્પણ કર્યું હતું. અમુલ દ્ધારા બનાવવામાં આવેલ જૈવિક ખાતર (બાયોફર્ટીલાયઝર) નું લોન્‍ચીંગ કરવા સાથે ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમુલની ૭૫ વર્ષની સફળ ગાથા નિદર્શન કરતી સ્‍મરણિકાનું પણ વિમોચન કર્યું હતું.

કેન્‍દ્રિય મંત્રીએ વિશેષ પોસ્‍ટલ સ્‍ટેમ્‍પ તથા ભારતીય પોસ્‍ટ વિભાગ દ્ધારા સ્‍પેશિયલ એન્‍વલપ અને દેશમાં ૧૦૦ કરોડ કોરોના રસીકરણની ઐતિહાસિક સિધ્‍ધિ બદલ વિશેષ એન્‍વલપનું અનાવરણ કર્યું હતું. આ અવસરે કેન્‍દ્રિય મંત્રીના હસ્‍તે મહત્તમ દુધ ઉત્‍પાદક મહિલા સભાસદો, મહત્તમ ઉત્‍પાદક દુધ મંડળીઓના ચેરમેનોનું સન્‍માન કર્યું હતું. કેન્‍દ્રિય મંત્રી  અમિત શાહ તેમજ મુખ્‍ય મંત્રી  ભૂપેન્‍દ્ર પટેલે સહિત કેન્‍દ્ર-રાજય સરકારના મંત્રીઓએ ડેરીના પ્‍લાન્‍ટની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. કેન્‍દ્રિય મંત્રી અમિત શાહે જણાવ્‍યું કે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ પોતાની આગવી દ્ધષ્‍ટીથી સહકારિતા મંત્રાલયની રચના કરી છે. સહકારથી સમૃધ્‍ધિના ધ્‍યેય મંત્ર સાથે સહકારિતા મંત્રાલય દ્ધારા સહકારી માળખાને વધુ સુદ્ધઢ બનાવવા જરૂરી બદલાવ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, ઇફકો, ક્રિભકો અને લિજ્જત પાપડ જેવા સહકારિતાના સફળ મોડેલ આપણી સમક્ષ છે ત્‍યારે કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલા વિષયોને સહકારિતા સાથે જોડી આત્‍મનિર્ભર બનાવવાની દિશા તરફ આગળ વધુ વધવું પડશે. અમુલ જેવી સહકારી સંસ્‍થા આ ક્ષેત્રે પોતાનું યોગદાન આપે તે સમયની માંગ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ખેડૂતો સજીવ અને પ્રાકૃતિક ખેતી તરફ વળે એટલું જ નહીં ખેડૂતો દ્ધારા ઉત્‍પાદિત ફળ, ફુલ, શાકભાજી અને ધાન્‍ય જેવી ખેત પેદાશોને સહકારિતાના ધોરણે યોગ્‍ય વેચાણ વ્‍યવસ્‍થા ઉભી કરવા અમુલને પ્‍લેટફોર્મ પુરૂ પાડવા તેમણે આહવાન કર્યું હતું. તેમણે જણાવ્‍યું કે, સહકારિતાના માધ્‍યમથી ખેતી-ખેડૂતો, પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે સમય સાથે આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે બદલાવ લાવી ખેડૂતોની આવક બમણી કરવામાં સહકારિતાનું આગવું પ્રદાન રહેશે. મંત્રીએ કેન્‍દ્ર સરકારની ડેરી સહકાર યોજનાનો વિશેષ લાભ લઇ ગુજરાતના ડેરી ઉદ્યોગના આંતર માળખાકીય સુવિધામાં વધારો કરવા દુધ સંઘોના સંચાલકોને અનુરોધ કર્યો હતો.   

સહકારિતાના આંદોલનનો પ્રાણ ગુજરાતની મહિલાઓ છે તેનો સવિશેષ ઉલ્‍લેખ કરતા સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્‍યું કે, દેશમાં આઝાદી પછી મહિલાઓનું સશક્તિકરણ અમુલના માધ્‍યમથી થયું છે. સહકારિતા મંત્રી અમિત શાહે ઉમેર્યું કે, સરદાર સાહેબનો અમુલ સાથે ગહેરો નાતો હતો. ખાનગી ડેરીના અન્‍યાય સામે ખેડૂતોના સંઘર્ષને સરદાર સાહેબની પ્રેરણાથી કર્મઠ એવા ત્રિભુવનદાસ પટેલે સકારાત્‍મક વિચાર સાથે સહકારિતા આંદોલન ઉપાડ્યું હતું. જે બીજ આજે વટવૃક્ષ બની ૩૬ લાખ પરિવારો માટે જીવન નિર્વાહનું કેન્‍દ્ર બન્‍યું છે. સ્‍વ. ત્રિભુવનદાસ પટેલે સરદાર સાહેબની પ્રેરણાથી પુરૂષાર્થથી પરાકાષ્‍ઠા સર્જી અમુલને આજે વિશ્વ બ્રાન્‍ડ બનાવી છે તેમ તેમણે ઉમેર્યું છે.

તેમણે જણાવ્‍યું કે, ૨૦૦ લીટર દુધ એકત્રિકરણથી શરૂ થયેલ અમુલ આજે દૈનિક ૩૦ લાખ લીટર દુધની ક્ષમતા ધરાવે છે. જેના થકી ૩૬ લાખ ખેડૂત પરિવારો સન્‍માનપૂર્વક જીવન નિર્વાહ  કરી રહયા છે. ૧૮૬૦૦ દુધ મંડળીઓ અને ૧૮ જિલ્‍લા સ્‍તરીય સંઘો તેમજ ગુજરાત સહિત અન્‍ય રાજયોમાં ૮૭ સ્‍થળોએ મિલ્‍ક પ્રોસેસીંગ પ્‍લાન્‍ટ સાથે અમુલ આજે વટવૃક્ષ બની વિશ્વમાં નામના મેળવી છે. અમુલે પશુઓના સ્‍વાસ્‍થ્‍યની ચિંતા કરવા સાથે કૂપોષણ સાથેની લડાઇમાં પણ સહકાર આપી  સમાજ પ્રત્‍યેની પોતાની જવાબદારી નિભાવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news