અમદાવાદની હવા આવી ‘Very Poor’ કેટેગરીમાં, શ્વાસ લેવું દિલ્હી કરતા પણ વધુ જોખમી

 ફરી એકવાર અમદાવાદ શહેરમાં વાયુ પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે. ફરી એકવાર અમદાવાદમાં વાયુ પ્રદુષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. શુક્રવારે સામાન્ય કરતાં વધુ વાયુ પ્રદૂષણ જોવા મળ્યું હતું. ગતરોજ સામાન્ય કરતા વધુ પ્રમાણ જોવા મળ્યું છે.

અમદાવાદની હવા આવી ‘Very Poor’ કેટેગરીમાં, શ્વાસ લેવું દિલ્હી કરતા પણ વધુ જોખમી

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : ફરી એકવાર અમદાવાદ શહેરમાં વાયુ પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે. ફરી એકવાર અમદાવાદમાં વાયુ પ્રદુષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. શુક્રવારે સામાન્ય કરતાં વધુ વાયુ પ્રદૂષણ જોવા મળ્યું હતું. ગતરોજ સામાન્ય કરતા વધુ પ્રમાણ જોવા મળ્યું છે.

રિપોર્ટ અનુસાર, પીએમ 2.5નું પ્રમાણ અમદાવાદમાં અત્યંત ખરાબ અને ચિંતાજનક માત્રામાં પહોંચી ચૂક્યું છે. આપણે જોઈએ તો હાલ અમદાવાદનો નક્શો રેડ ઝોનમાં આવી ગયો છે. જેથી તેનુ પ્રદૂષણ ખતરનાક કહી શકાય. અમદાવાદ હાલ વેરી પુઅર કેટેગરીમાં છે. ઈન્ડેક્સમાં જોઈએ તો, દિલ્હી એવરેજ 118 પુઅર, જ્યારે મુંબઇ 205 પુઅર, અમદાવાદમાં 339 વેરીપુઅર એર ક્વોલિટીનો ઇન્ડેક્સ નોંધવામાં આવ્યો હતો.અમદાવાદ શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદુષણનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. જેની સીધી અસર વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારમાં જોવા મળી છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ સામાન્ય કરતા વધુ જોવા મળ્યો છે. ગઈકાલે અમદાવાદના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર માપવામાં આવ્યું હતું. અમદાવાદના પ્રદૂષણની માત્રા વધી હતી, જેના આંકડા આ મુજબ છે.  

  • પીરાણામાં 353
  • રાયખડમાં 349
  • રખિયાલમાં 348
  • ચાંદખેડામાં 342
  • સેટેલાઇટમાં 339

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પ્રદૂષણનું આ સ્તર અને એર ક્વોલિટીનું આ ઈન્ડેક્સ દિલ્હી કરતા પણ નીચું છે. ચાર દિવસ પહેલા પણ અમદાવાદમાં પ્રદૂષણની માત્રા વધી હતી. રાયખડમાં પ્રદૂષણ અત્યંત ભયજનક સ્તરે છે. રાયખડમાં પ્રદૂષણ 422ને પાર થઈ ગયું હતું. શહેરમાં વાયુ પ્રદુષણ વધવાનો મામલે AMC કારોબારી ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું કે, પ્રદૂષણની આ સ્થિતિ પર અમે નજર રાખી રહ્યાં છે. વાતાવરણમાં બદલાવાના કારણે ધૂળના રજકણો નીચે આવી રહ્યાં છે. આરોગ્ય અને સોલિડ વેસ્ટ વિભાગ કામગીરી કરી રહ્યું છે. આગામી દિવસોમાં નક્કર કામગીરી જોવા મળશે.

આવા પ્રદૂષણમાં બીમારીઓ વધે છે 
આવી ઠંડી અને ગરમીની મિક્સ સિઝનમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ, સલ્ફર ઓક્સાઈડ, ધૂળ અને રજકણોનું પ્રમાણ વધતા ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. જે ફેફસામાં જવાથી એક્યુટ બ્રોન્કાઈટિસ, એલર્જીક બ્રોન્કાઈટીસ, દમ, ધૂળ આંખમાં જતાં આંખમાં ખંજવાળ, પાણી પડવું અને આંખ લાલ થવી તેમજ છીંકો આવવી, નાક બંધ થવું, અપચો, ઉલટી-ઉબકા આવવા અને ગેસની તકલીફ થવી જેવી સમસ્યા સર્જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news