આજથી 7 દિવસ બંધ રહેશે ટ્રાફિકથી ધમધમતો અમદાવાદનો આ બ્રિજ

આજથી 7 દિવસ બંધ રહેશે ટ્રાફિકથી ધમધમતો અમદાવાદનો આ બ્રિજ
  • ગત મહિને પણ મેટ્રો કામગીરીને કારણે જીવરાજ પાર્ક બ્રિજ બંધ રાખવામા આવ્યો હતો
  • લોકોને પરિવહન માટે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :મેટ્રો પ્રોજેક્ટની કામગીરી માટે જીવરાજ પાર્ક ફ્લાયઓવર (Jivraj Park bridge) ફરીથી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આજે 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ સુધી આ બ્રિજ તમામ વાહનવ્યવહાર માટે રાખવામાં આવશે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બ્રિજ બંધ રાખવાનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને પણ મેટ્રોની કામગીરી માટ બ્રિજ ત્રણ દિવસ બંધ કરાયો હતો. જેના બાદ આસપાસના વિસ્તારમાં ભારે ટ્રાફિક સર્જાયો હતો. 

ગત મહિને પણ બંધ રખાયો હતો બ્રિજ 
અમદાવાદ (Ahmedabad) માં મોટાપાયે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત અમદાવાદનો જીવરાજ પાર્ક ( jivraj park ) ફ્લાયઓવર આજથી મેટ્રોની કામગીરી માટે બંધ કરવામાં આવ્યો છે. ત્યારે સતત ટ્રાફિકથી ધમધમતા જીવરાજ પાર્ક ફ્લાયઓવર બંધ થતા જ વાહન ચાલકોને મોટી સમસ્યા સર્જાઈ છે. ગત જુલાઈ મહિને બ્રિજ બંધ રાખવાથી જીવરાજ પાર્ક ચાર રસ્તાથી વેજલપુર તરફના સમગ્ર માર્ગ પર સવારથી ટ્રાફિક જામ (traffic jam) સર્જાયો હતો. 

વાહનચાલકો આ રસ્તેથી જઈ શકે છે
મેટ્રો રેલ ( Metro rail)નું કામ ચાલવાનું હોઈ અમદાવાદીઓ આાગામી 7 દિવસ સુધી જીવરાજ પાર્ક પુલનો ઉપયોગ નહિ કરી શકે. ટ્રાફિક (traffic) વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, આ ફ્લાય ઓવર 1 ઓગસ્ટથી 7 જુલાઈ દરમિયાન બંધ રહેશે. જેથી લોકોને પરિવહન માટે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. ત્યારે આ ફ્લાયઓવર બંધ કરતા તમામ ટ્રાફિક વેજલપુર તરફ ડાયવર્ટ થયો છે. વેજલપુર રોડ - બલિયાદેવ મંદિર ત્રણ રસ્તા - વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ - ટીઓઆઈ પ્રેસ રોડ અથવા માણેકબાગ ચાર રસ્તા - ધરણીધર ચાર રસ્તા - સીવી રમન રોડ જીવરાજ પાર્ક સુધી વાહનચાલકો પહોંચાડશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news