Coronaupdate: રાજ્યમાં કોરોના વિસ્ફોટ સાથે આજે 783 કેસ, 16ના મોત; 569 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં સતત પાંચ દિવસે કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 700થી વધુ નોંધાય છે. કોરોના કહેરના કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 783 નવા કેસ નોંધાયા છે. જેમાં આજે ફરી સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં આજે 215 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજ રોજ 569 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,33,564 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Coronaupdate: રાજ્યમાં કોરોના વિસ્ફોટ સાથે આજે 783 કેસ, 16ના મોત; 569 દર્દીઓ થયા સાજા

ગાંધીનગર: રાજ્યમાં સતત પાંચ દિવસે કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 700થી વધુ નોંધાય છે. કોરોના કહેરના કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 783 નવા કેસ નોંધાયા છે. જેમાં આજે ફરી સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં આજે 215 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજ રોજ 569 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,33,564 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં આજે કોવિડ-19ના કારણે 16 વ્યક્તિઓના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, અમરેલીમાં 1, જામનગરમાં 1 અને મોરબીમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 2,83,051 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,85,707 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3,344 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

આજના રાજ્યમાં કુલ 783 નવા કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 215, અમદાવાદ કોર્પોરેશનમાં 149, સુરતમાં 58, વડોદરા કોર્પોરેશનમાં 55, વલસાડમાં 27, રાજકોટ કોર્પોરેશનમાં 26, દાહોદમાં 18, ભરૂચમાં 16, સુરેન્દ્રનગરમાં 16, મહેસાણામાં 15, બનાસકાંઠામાં 15, નવસારીમાં 14, રાજકોટમાં 13, ભાવનગર કોર્પોરેશનમાં 12, વડોદરામાં 12, ગાંધીનગરમાં 11, ખેડામાં 11, કચ્છમાં 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 8, જામનગર કોર્પોરેશનમાં 8, સાબરકાંઠામાં 8, જુનાગઢ કોર્પોરેશનમાં 7, અમદાવાદમાં 7, ભાવનગરમાં 7, અમરેલીમાં 7, આણંદમાં 5, પાટણમાં 4, મહિસાગરમાં 4, નર્મદામાં 4, ગીર સોમનાથમાં 4, જુનાગઢમાં 4, મોરબીમાં 3, ડાંગમાં 3, અરવલ્લીમાં 2, પંચમહાલમાં 1, બોટાદમાં 1, છોટા ઉદેપુરમાં 1, જામનગરમાં 1, તાપીમાં 1 અને પોરબંદરમાં 0 કેસ નોંધાયા છે.

આ ઉપરાંત રાજ્યમાં 569 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 156, અમદાવાદ કોર્પોરેશનમાં 157, સુરતમાં 25, વડોદરા કોર્પોરેશનમાં 96, વલસાડમાં 9, દાહોદમાં 3, સુરેન્દ્રનગરમાં 3, મહેસાણામાં 4, બનાસકાંઠામાં 6, નવસારીમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 2, વડોદરામાં 5, ગાંધીનગરમાં 10, ખેડામાં 5, કચ્છમાં 11, અમદાવાદમાં 13, ભાવનગરમાં 2, અમરેલીમાં 18, આણંદમાં 11, પાટણમાં 13, મોરબીમાં 1, અરવલ્લીમાં 7, પંચમહાલમાં 3, બોટાદમાં 4, છોટા ઉદેપુરમાં 1, તાપીમાં 1 અને પોરબંદરમાં 1 દર્દી ડિસ્ચાર્જ થયો છે.

રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસ 9,111 છે. જેમાં વેન્ટીલેટર પર 67 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ 9,044 દર્દીઓ છે. જ્યારે 27,313 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો કુલ મૃત્યુઆંક 1995 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news