રાજ્યમાં સતત પાંચમાં દિવસે 600થી વધુ કોરોના કેસ, 21ના મોત; 368 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં આજ રોજ 675 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 368 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,80,640 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 21 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન- 8, સુરત કોર્પોરેશન- 4, રાજકોટ કોર્પોરેશન- 1, સુરત- 1, ભરૂચ- 1, અરવલ્લી- 1, બનાસકાંઠા- 1, ખેડા-1, અમરેલી- 1, દાહોદ- 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.
રાજ્યમાં સતત પાંચમાં દિવસે 600થી વધુ કોરોના કેસ, 21ના મોત; 368 દર્દીઓ થયા સાજા

ગાંધીનગર: રાજ્યમાં આજ રોજ 675 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 368 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,80,640 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 21 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન- 8, સુરત કોર્પોરેશન- 4, રાજકોટ કોર્પોરેશન- 1, સુરત- 1, ભરૂચ- 1, અરવલ્લી- 1, બનાસકાંઠા- 1, ખેડા-1, અમરેલી- 1, દાહોદ- 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,50,357 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,47,067 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3,290 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

આજના રાજ્યમાં કુલ 675 નવા કેસ નોંધાયા છે. જ્યારે 368 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 208 નવા કેસ અને 109 ડીસ્ચાર્જ, સુરત કોર્પોરેશનમાં 180 નવા કેસ અને 112 ડીસ્ચાર્જ, વડોદરા કોર્પોરેશનમાં 50 નવા કેસ અને 21 ડીસ્ચાર્જ, નવસારીમાં 24 નવા કેસ અને 6 ડિસ્ચાર્જ, સુરતમાં 21 નવા કેસ અને 17 ડીસ્ચાર્જ, જામનગર કોર્પોરેશનમાં 15 નવા કેસ અને 6 ડીસ્ચાર્જ, ભરૂચમાં 15 નવા કેસ અને 11 ડીસ્ચાર્જ, વલસાડમાં 15 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, બનાસકાંઠામાં 12 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, સુરેન્દ્રનગરમાં 12 નવા કેસ અને 1 ડિસ્ચાર્જ, મહેસાણામાં 10 નવા કેસ અને 3 ડિસ્ચાર્જ, રાજકોટ કોર્પોરેશનમાં 9 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, ખેડામાં 9 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, ગાંધીનગર કોર્પોરેશનમાં 8 નવા કેસ અને 6 ડિસ્ચાર્જ, ગાંધીનગરમાં 8 નવા કેસ અને 9 ડિસ્ચાર્જ, આણંદમાં 8 નવા કેસ અને 8 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત જુનાગઢ કોર્પોરેશનમાં 7 નવા કેસ અને 6 ડીસ્ચાર્જ, અમદાવાદમાં 7 નવા કેસ અને 16 ડિસ્ચાર્જ, વડોદરામાં 7 નવા કેસ અને 17 ડીસ્ચાર્જ, રાજકોટમાં 6 નવા કેસ અને 2 ડિસ્ચાર્જ, પંચમહાલમાં 5 નવા કેસ અને 1 ડિસ્ચાર્જ, સાબરકાંઠામાં 5 નવા કેસ અને 1 ડિસ્ચાર્જ, મોરબીમાં 4 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, ભાવનગર કોર્પોરેશનમાં 3 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, અરવલ્લીમાં 3 નવા કેસ અને 1 ડિસ્ચાર્જ, કચ્છમાં 3 નવા કેસ અને 3 ડિસ્ચાર્જ, ભાવનગરમાં 3 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, અમરેલીમાં 3 નવા કેસ અને 3 ડિસ્ચાર્જ, જામનગરમાં 3 નવા કેસ અને 2 ડિસ્ચાર્જ, પાટણમાં 2 નવા કેસ અને 1 ડિસ્ચાર્જ, મહિસાગરમાં 2 નવા કેસ અને 2 ડિસ્ચાર્જ, બોટાદમાં 2 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, દાહોદમાં 2 નવો કેસ અને 0 ડિસ્ચાર્જ, છોટાઉદેપુરમાં 2 નવો કેસ અને 0 ડિસ્ચાર્જ, નર્મદામાં 1 નવો કેસ અને 2 ડિસ્ચાર્જ, ગીર સોમનાથમાં 1 નવો કેસ અને 0 ડિસ્ચાર્જ, અને દેવભૂમી દ્વારકામાં 0 નવો કેસ અને 1 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસ 7,411 છે. જેમાં વેન્ટીલેટર પર 63 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ 7,348 દર્દીઓ છે. જ્યારે 24,038 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો કુલ મૃત્યુઆંક 1869 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news