'સંજૂ'ની છપ્પરફાડ કમાણી, છતાં રણબીરે કહ્યું-દુનિયામાં એક જ સલમાન...જાણો કેમ?

હાલ રણબીર કપૂરની ફિલ્મ સંજૂએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી છે. ફિલ્મે રિલીઝના ચાર જ દિવસમાં કમાણીના મામલે રેકોર્ડ બનાવી નાખ્યો છે.

'સંજૂ'ની છપ્પરફાડ કમાણી, છતાં રણબીરે કહ્યું-દુનિયામાં એક જ સલમાન...જાણો કેમ?

આપણે બધા જાણીએ છીએ કે હાલ રણબીર કપૂરની ફિલ્મ સંજૂએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી છે. ફિલ્મે રિલીઝના ચાર જ દિવસમાં કમાણીના મામલે રેકોર્ડ બનાવી નાખ્યો છે. સંજૂ ફિલ્મ રણબીર કપૂર અને રાજકુમાર હિરાનીની કેરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. જો કે આમ છતાં બરફી બોય રણબીર કપૂર કહે છે કે દુનિયામાં તો ફક્ત એક જ સલમાન ખાન છે. હવે રણબીરે આવું નિવેદન કેમ આપ્યું તે જાણીએ.

જો તમે એમ વિચારી રહ્યાં હોય કે રણબીરે આ નિવેદન ફિલ્મની કમાણીને લઈને આપ્યું છે તો તમે ખોટા છો. હકીકતમાં રણબીરે આ નિવેદન લગ્નને લઈને આપ્યું છે. અસલમાં રણબીર કપૂરે હાલમાં જ ખાનગી ચેનલ આજતકને એક ઈન્ટરવ્યું આપ્યો હતો. જેમાં તેને પૂછવામાં આવ્યું કે શું તમે પણ સલમાન ખાનની જેમ બેચલર રહવાનું નથી વિચારી રહ્યાં ને. તો રણબીરે જવાબ આપ્યો કે જી ના. એમ નથી. હું જલદી લગ્ન કરીશ અને દુનિયામાં તો ફક્ત એક જ સલમાન ખાન છે. હું બીજો બની શકું નહીં.

આ રીતે રણબીરના નિવેદનથી એ તો સ્પષ્ટ થઈ ગયું કે આ ભાઈ કુવારા રહેવાના નથી જો કે તેણે એ નથી કહ્યું કે તે કોની સાથે લગ્ન કરવાનો છે. રણબીરે ઈન્ટરવ્યુંમાં એ પણ જણાવ્યું કે 'મારા માતા પિતા તરફથી હાલ લગ્નને લઈને કોઈ દબાણ નથી પરંતુ હવે હું 35નો થઈ ગયો છું. હું પોતે ઈચ્છુ છું કે જલદી મારું ઘર વસી જાય. હું ઈચ્છું છું કે જ્યારે મારા છોકરાઓ મોટા થાય તો હું તેમની સાથે ફૂટબોલ રમું.'

રણબીરે લગ્ન વિશે તો ખુલાસો કર્યો પરંતુ કોની સાથે લગ્ન કરશે તે જણાવ્યું નથી. પરંતુ હાલ રણબીરનું નામ આલિયા ભટ્ટ સાથે જોડાયું છે. બંને સતત જાહેરમાં સાથે જોવા મળી રહ્યાં છે. એવી અટકળો પણ થઈ રહી છે કે રણબીર જલદી આલિયા સાથે લગ્ન કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news