Urmila Matondkar: રંગીલા ગર્લ લઈ રહી છે છૂટાછેડા, લગ્નના 8 વર્ષે પણ આ કારણે ન બની માં, જાણી લો શું છે કારણ

Urmila Matondkar: ઉર્મિલા માતોંડકર રંગીલા ફિલ્મથી ચર્ચામાં આવી હતી.  8 વર્ષ પહેલાં 10 વર્ષ નાના મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કર્યાત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી માત્ર મનીષ મલ્હોત્રાને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે તેમના છૂટાછેડાના અહેવાલો છે. જાણો ઉર્મિલા અને મોહસીનની પ્રેમ કહાનીના ઉતાર-ચઢાવ ભરી આ લવસ્ટોરી...

Urmila Matondkar: રંગીલા ગર્લ લઈ રહી છે છૂટાછેડા, લગ્નના 8 વર્ષે પણ આ કારણે ન બની માં, જાણી લો શું છે કારણ

Urmila Matondkar: અભિનેત્રી ઉર્મિલા માતોંડકર હાલમાં છૂટાછેડાના સમાચારને લઈને ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે લગ્નના 8 વર્ષ પછી પતિ મોહસીન અખ્તર મીરથી છૂટાછેડા લઈ રહી છે. તેમણે કોર્ટમાં છૂટાછેડાની અરજી પણ કરી છે. બંને સુખી લગ્ન જીવન જીવી રહ્યા હતા, પરંતુ હવે અચાનક તેમના છૂટાછેડાના સમાચારે સનસનાટી મચાવી દીધી છે. અહીં જાણો ઉર્મિલા અને મોહસીનની લવ સ્ટોરીથી લઈને ડિવોર્સ સુધીની આખી સ્ટોરી. 

ઉર્મિલા માતોંડકર લાંબા સમયથી તેના પતિથી અલગ રહે છે!

'આજ તક'ના અહેવાલ મુજબ ઉર્મિલા માતોંડકર અને મોહસીન અખ્તર મીર લાંબા સમયથી સાથે નથી રહેતા. બંને અલગ-અલગ રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના છૂટાછેડા પરસ્પર સહમતિથી નથી થઈ રહ્યા ઉર્મિલા માતોંડકર અને મોહસીનના લગ્નને 8 વર્ષ થયા હતા, પરંતુ તેમને કોઈ સંતાન નહોતું. ફેન્સે કપલને આ અંગે ઘણા સવાલો પણ કર્યા હતા. ઉર્મિલાએ એકવાર આ વિશે વાત કરી હતી.  એક ઈન્ટરવ્યુમાં ઉર્મિલા માતોંડકરે કહ્યું હતું કે, 'હું માતા બનવા વિશે વિચારી રહી છું અને નહીં પણ. એવું નથી કે હું તેના વિશે વિચારતી નથી. દરેક સ્ત્રી માતા બને એ જરૂરી નથી. માતૃત્વ યોગ્ય કારણોસર હોવું જોઈએ. હું બાળકોને પ્રેમ કરું છું. પરંતુ એવા ઘણા બાળકો છે જેમને આપણા પ્રેમ અને સંભાળની જરૂર છે. એવું જરૂરી નથી કે બાળકો તમારા ગર્ભમાંથી જ જન્મે.

કોણ છે ઉર્મિલા માતોંડકરનો પતિ મોહસિન?  

મોહસીન ખાન કાશ્મીરી મુસ્લિમ છે અને વ્યવસાયે બિઝનેસમેન અને મોડલ છે. તેણે ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. તે 'બીએ પાસ', 'લક બાય ચાન્સ' અને 'મુંબઈ મસ્ત કલંદર' જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. મોહિસન અખ્તર મીરનો મૂળ વ્યવસાય એ ભરતકામ છે અને તે મનીષ મલ્હોત્રાના લેબલ માટે કામ કરે છે. તેણે કાશ્મીરી ભરતકામનો બિઝનેસ શરૂ કર્યો છે.

2016માં લગ્ન કર્યાં ત્યારે ઘણાએ ઉડાવી હતી મજાક

ઉર્મિલા માતોંડકર અને મોહસીન અખ્તર મીરે 3 માર્ચ 2016ના રોજ લવ મૈરેજ કર્યા હતા. આ એક આંતર-ધર્મ લગ્ન હતા, જેમાં પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. તે સમયે ઉર્મિલા અને મોહસીનના લગ્નની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી, કારણ કે તેમની વચ્ચે ઉંમરમાં 10 વર્ષનું અંતર હતું. એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે ઉર્મિલાએ મોહસીન સાથે લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કર્યું હતું. જોકે, ઉર્મિલાએ આ વાતને નકારી કાઢી હતી.

ઉર્મિલા અને મોહસીનની પહેલી મુલાકાત અને લવ સ્ટોરી

ઉર્મિલા માતોંડકર અને મોહસીન અખ્તર મીર પહેલીવાર પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની પાર્ટીમાં મળ્યા હતા. બંને મનીષ મલ્હોત્રાની ભત્રીજીના લગ્નમાં મળ્યા હતા. મોહસીનને ઉર્મિલા માતોંડકર સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. બંનેનો ધર્મ અલગ હતો એટલું જ નહીં, તેમની વિચારસરણી પણ અલગ હતી, પરંતુ પ્રેમની સામે બધા જ ભેદ તુચ્છ બની ગયા.

હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન અને પછી કર્યા નિકાહ

મોહસિન અખ્તર મીર મુસ્લિમ છે અને ઉર્મિલા હિંદુ છે, તેમ છતાં તે અભિનેત્રી સાથે લગ્ન કરવા પર અડગ હતો. આખરે 2016માં તેઓએ પહેલા હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા અને પછી નિકાહ કર્યા હતા. લગ્ન બાદ બંને અમૃતસરના સુવર્ણ મંદિરમાં પણ દર્શન કરવા ગયા હતા. ઉર્મિલા અને મોહસિને લગ્ન પછી લાખો ટોણા સહન કર્યા, પરંતુ દરેક મુશ્કેલીનો સામનો કરવા છતાં તેમનો સંબંધ અકબંધ રહ્યો. આવી સ્થિતિમાં હવે બધાને આશ્ચર્ય છે કે એવું તો શું થયું કે તેમના લગ્ન છૂટાછેડા સુધી પહોંચી ગયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news