'તારક મહેતા'માં થશે દયાબેનની વાપસી? જેઠાલાલે વાતમાં કહી દીધું સાચું

ટીવી શો 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'  (Taarak Mehta Ka Ooltah Chashmah) માં ફેન્સ લાંબા સમયથી દયાબેનની રાહ જોઇ રહ્યા છે અને જો તમે પણ આ શો તેમના આગમનની રાહમાં જોઇ રહ્યા છો તો તમારા માટે એક મોટા સારા સમાચાર છે. તાજેતરમાં જ એક એપિસોડ જોઇને અનુમાન લગાવી શકાય છે કે શોમાં ટૂંક સમયમાં દયાબેનની વાપસી થશે. 

'તારક મહેતા'માં થશે દયાબેનની વાપસી? જેઠાલાલે વાતમાં કહી દીધું સાચું

નવી દિલ્હી: ટીવી શો 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'  (Taarak Mehta Ka Ooltah Chashmah) માં ફેન્સ લાંબા સમયથી દયાબેનની રાહ જોઇ રહ્યા છે અને જો તમે પણ આ શો તેમના આગમનની રાહમાં જોઇ રહ્યા છો તો તમારા માટે એક મોટા સારા સમાચાર છે. તાજેતરમાં જ એક એપિસોડ જોઇને અનુમાન લગાવી શકાય છે કે શોમાં ટૂંક સમયમાં દયાબેનની વાપસી થશે. 

જેઠાલાલે આપી હિંટ
'તારક મહેતા કા ઉલટા ચશ્મા'  (Taarak Mehta Ka Ooltah Chashmah) ની દયાબેન શું જલદી જ વાપસી કરશે? આ એક સવાલ છે જે દિશા વાકાણીના 2017 માં મેટૅરનિટી બ્રેક પર ગયા બાદથી તમામના મનમાં છે. શું તે પરત આવશે અથવા તેમને બદલવામાં આવશે'. તેનો જવાબ 5 વર્ષ બાદ પણ મળી શક્યો નથી. જ્યાં ફેન્સ શોમાં દયાબેનની વાપસી પર અપડેટ મેળવવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, તો બીજી તરફ દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલે તાજેતરમાં એક મોટો સંકેત આપ્યો છે. 

દયાબેનનો થયો ઉલ્લેખ
'તારક મહેતા કા ઉલટા ચશ્મા'  (Taarak Mehta Ka Ooltah Chashmah) ના લેટેસ્ટ એપિસોડમાં જેઠાલાલ, રોશનને કહે છે કે તે ખુશકિસ્મત છે કે તેમની પત્ની 2-4 દિવસોમાં પરત આવશે. આ વાતચીત દરમિયાન બોલવામાં આવ્યું કે દયા જ્યારથી અમદાવાદ ગઇ છે ત્યારથી ઘરે પરત ફરી નથી. તારકે ફરી જેઠાલાલને કહ્યું કે તે હવે ભાભીને લઇને પરત આવે, કારણ કે અમદાવાદ દૂર નથી. 

કોવિડ ખતમ થવાની રાહ
જેઠાલાલ ઉદાસ જોઇ અને તારકને કહે છે કે જ્યારથી તે દયાને પરત લાવવા માટે ત્યાં જવાનું પ્લાનિંગ કરે છે, તો કોવિડ 19 નિયમ તેમને રોકે છે અને ખેલ બગાડી દે છે. દયાબેનની વાપસી વિશે એક મોટો સંકેત આપતા, જેઠાલાલે કહ્યું કે એકવાર જ્યારે કોવિડ 19 ખતમ થઇ જાય, તો તે દયા અને તેમના પરિવાર યાત્રા પર નિકળી જાય. અંતમાં જ્યારે કૃષ્ણન ઐય્યરે પૂછ્યું કે જેઠાલાલ શું કરવા જઇ રહ્યા છે, તો તેમણે કહ્યું કે આ બધુ દયા પર નિર્ભર કરે છે. 

ફેન્સને દયાબેનની આતુરતાથી જોવાઇ રહી છે રાહ 
આ એપિસોડને જોયાબાદ ફેન્સ ખૂબ એક્સાઇટેડ છે કે તેમને નવી દયા ભાભી મળી જાય છે, અથવા પછી દિશા વાકાણી જ શોમાં પરત કરવાનો નિર્ણય લીધો છે. બંનેના કેસમાં દર્શક તો ખુશીથી ઝૂમી ઉઠશે. કારણ કે તે ગત 5 વર્ષોથી જેઠાલાલ એકલા જોવા મળે છે અને મિસ કરી રહ્યા છે તે અવાજ 'ટપ્પૂના પપ્પા'. થોડા સમય પહેલાં નિર્માતા અસિત મોદીએ દયાબેન વાપસી વિશે વાત કરતાં તેમણે ઇટાઇમ્સને કહ્યું કે 'મને લાગે છે કે હવે મારે દયાબેન બની જવું જોઇએ. તેમની વાપસીનો સવાલ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. અમે હજુ પણ વાપસીની રાહ જોઇ રહ્યા છીએ અને જો તે છોડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તો શો એક નવી દયા સાથે ચાલશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news