બોલીવુડને વધુ એક ઝટકો, ફિલ્મ ડાયરેક્ટર રજત મુખર્જીનું નિધન


બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાંથી વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. પ્યાર તૂને ક્યા કિયા અને રોડ જેવી ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર રજત મુખર્જીનું નિધન થયુ છે. 

બોલીવુડને વધુ એક ઝટકો, ફિલ્મ ડાયરેક્ટર રજત મુખર્જીનું નિધન

મુંબઈઃ બોલીવુડમાંથી વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. ફિલ્મમેકર રજત મુખર્જીનુ નિધન થયુ છે. રિપોર્ટસ પ્રમાણે, તેમને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઈ સમસ્યા હતી. રજતે 'પ્યાર તૂને ક્યા કિયા' અને રોડ જેવી ફિલ્મો બનાવી હતી. ફિલ્મમેકર અનુભવ સિન્હા અને હંતલ મેહતાએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. 

બીજી દુનિયામાં બોટલો પીવાની બાકી છે
અનુભવ સિન્હા અને હંસલ મેહતાએ આ દુખદ ઘટનાની પુષ્ટિ કરી છે. હંસલે લખ્યુ, અત્યારે એક પ્રિય મિત્રના નિધનના સમાચાર મળ્યા. પ્યાર તૂને ક્યા કિયા અને રોડના ડાયરેક્ટર રજત મુખર્જી મારા બોમ્બેમાં ખુબ શરૂઆતી સંઘર્ષના સમયના મિત્ર હતા. ઘણીવાર સાથે જમ્યા અને ઘણી ઓલ્ડ મોન્કની બોટલો પીધી. ઘણી બીજી દુનિયામાં પીવાની બાકી છે. ખુબ યાદ આવસો મારા પ્રિય દોસ્ત. 

— Hansal Mehta (@mehtahansal) July 19, 2020

વધુ એક મિત્ર ચાલ્યો ગયો
અનુભવ સિન્હાએ પણ ટ્વીટમાં લખ્યુ, વધુ એક મિત્ર જલદી ચાલ્યા ગયા. ડાયરેક્ટર રજત મુખર્જી. જયપુરમાં છેલ્લા ઘણા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યાં હતા. 

— Anubhav Sinha (@anubhavsinha) July 19, 2020

મનોજે લખ્યુ ખુશ રહે જ્યાં પણ રહે
અભિનેતા મનોજ વાજપેયીએ પણ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યુ છે. 

— manoj bajpayee (@BajpayeeManoj) July 19, 2020

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news