પ્રિયંકા-નીકના લગ્નની વિધિ શરૂ થશે જુના ઘરેથી, કારણ છે જબરદસ્ત ઇમોશનલ

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના 2 ડિસેમ્બરના દિવસે જોધપુર ખાતે લગ્ન છે

પ્રિયંકા-નીકના લગ્નની વિધિ શરૂ થશે જુના ઘરેથી, કારણ છે જબરદસ્ત ઇમોશનલ

મુંબઈ :  પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના 2 ડિસેમ્બરના દિવસે જોધપુર ખાતે લગ્ન છે. આ લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. આજે મુંબઈમાં પ્રિયંકા ચોપડાના ઘર ખાતે લગ્નની વિધિ શરૂ થઈ જશે. જોકે મહત્વની વાત એ છે કે પ્રિયંકાએ આ વિધિ કરવા માટે તેના નવા ઘરની નહીં પણ તે પહેલાં જ્યાં રહેતી હતી એ રાજ ક્લાસિકની પસંદગી કરી છે. હાલમાં પ્રિયંકાના આ ઘરને આજે થનારી ગણેશ પૂજા માટે સજાવવામાં આવ્યું છે. આ શુભારંભ માટે આખા એપાર્ટમેન્ટના એન્ટ્રન્સને પીળા વસ્ત્રથી સજાવવામાં આવ્યું છે. 

પ્રિયંકાની સગાઈ અને રોકા પછી આજ ગણેશ પૂજા સાથે લગ્નની વિધિનો પ્રારંભ થશે. આ પૂજામાં પ્રિયંકા ચોપડા અને નિકનો પરિવાર તેમજ નજીકના મિત્રો શામેલ થયા છે. પ્રિયંકાએ આ વિધિ કરવા માટે પોતાના નવા ઘરને બદલે જુના ઘરની પસંદગી કરી છે એ પાછળનું કારણ એકદમ ઇમોશનલ છે. 

હકીકતમાં પ્રિયંકાએ પોતાની કરિયરની શરૂઆતમાં સ્ટારડમ મેળવ્યા પછી પોતાની કમાણીથી આ પહેલું ઘર ખરીદ્યું હતું અને આ કારણે પ્રિયંકા પોતના આ ઘરને બહુ લકી માને છે. આ સિવાય પ્રિયંકા આ ઘરમાં પોતાના દિવંગત પિતા, માતા અને ભાઈ સાથે વર્ષો સુધી રહી હોવાના કારણે એની સાથે ઇમોશનલી જોડાયેલી છે. આ કારણે પ્રિયંકાએ પોતાના જીવનના મોટા પ્રસંગ માટે આ ઘરની પસંદગી કરી છે. આ પૂજા પછી સાંજે ચાર્ટડ ફ્લાઇટ પછી પ્રિયંકા અને નિક આખા પરિવાર સાથે જોધપુર રવાના થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news