Malaika-Arjun Breakup: આ કારણે આવ્યો 7 વર્ષ જૂની રિલેશનશિપ અંત! જાણો એવું તો શું થયું?

Malaika- Arjun Breakup: મલાઇકા અરોરા અને અર્જુન કપૂર બોલીવુડના પોપુલર કપલ્સમાંથી એક છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જોકે ઉંમરના તફાવતને લઇને બંને મોટાભાગે ટ્રોલ થતા રહ્યા છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે બંને અલગ થઇ ગયા છે. આખરે કયા કારણે 7 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે જાણો... 

Malaika-Arjun Breakup: આ કારણે આવ્યો 7 વર્ષ જૂની રિલેશનશિપ અંત! જાણો એવું તો શું થયું?

Malaika Arora Arjun Kapoor Breakup Latest News: મલાઇક અરોરા અને અર્જુન કપૂર એક સમયે સીરિયસ રિલેશનશિપમાં હતા. કપલે વર્ષ 2019 માં પોતાના સંબંધોની ઓફિશિયલી કન્ફોર્મ કર્યું હતું. બંને મોટાભાગે સાથે જોવા મળતા હતા અને સોશિયલ મેડિયા પર પણ એકબીજાના ફોટા પર પ્રેમ વરસાવવાની તક છોડતા ન હતા. 

જોકે થોડા સમય પહેલાં આ કપલનું બ્રેકઅપ થઇ ગયું હતું. પરંતુ અર્જુન કપૂર અને મલાઇક અરોરાએ બ્રેકઅપ પર કોઇ કોમેન્ટ આપી ન  હતી પરંતુ એક રિપોર્ટ અનુસાર બંનેના રસ્તા અલગ થઇ ચૂક્યા છે. 

અર્જુન કપૂર અને મલાઇકાનું થયું બ્રેકઅપ
પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર એક સૂત્રએ જાણકારી આપી છે કે મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનો સંબંધ તૂટી ગયો છે. રિપોર્ટ અનુસાર સૂત્રએ જણાવ્યું હતું કે 'મલાઇકા અને અર્જુન વચ્ચે ખૂબ ખાસ રિલેશન હતો અને બંને એકબીજાના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. તેમણે અલગ થવાનો નિર્ણય લીધો છે અને આ મામલે રિસ્પેક્ટફૂલી મૌન જાળવી રાખશે. રિપોર્ટ અનુસાર સૂત્રએ આગળ કહ્યું 'તે કોઇપણ પોતાના સંબંધને ખેંચી રાખવાની પરમિશન આપશે નહી.' 

મલાઇકા-અર્જુનનો કેમ તૂટ્યો સંબંધ 
રિપોર્ટ અનુસાર ઇનસાઇડર સૂત્રએ જણાવ્યું કે ''તેમનો એક લાંબો, પ્રેમભર્યો સંબંધ હતો જે હવે ખતમ થઇ ગયો છે તેનો અર્થ એ નથી કે તેમને વચ્ચે મનભેદ છે. તે એકબીજાની ખૂબ રિસ્પેક્ટ કરે છે અને એકબીજાના પિલર ઓફ સ્ટ્રેંથ રહ્યા છે. તે વર્ષોમાં તેમણે પોતાન સંબંધોને ખૂબ સન્માન આપ્યું છે. અલગ હોવાનો નિર્ણય લીધા બાદ તે એકબીજાને તે જ સન્માન આપવાનું ચાલુ રાખશે. તે બંને વર્ષોથી એક સીરિયસ રિલેશનમાં હતા, અને તે આશા રાખે છે કે લોકો આ ઇમોશનલ ટાઇમમાં તેમને સ્પેસ આપશે.''

આ દરમિયાન પિંકવિલામાં છપાયેલા રિપોર્ટ અનુસાર મલાઇકા અરોરા અને અર્જુનનો સંબંધ ખાસ હતો. જોકે થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે એક્ટર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કુશા કપિલાને ડેટ કરી રહ્યા છે. આ મામલે કુશા કપિલાએ સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે તેમના અને અર્જુન વચ્ચે કંઇપણ નથી. ત્યારબાદ અર્જુને મલાઇકાના બર્થડે પર રોમેન્ટિક તસવીર શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હજુસુધી બંનેના રસ્તા અલગ થયા નથી. 

વર્ષો જૂના સંબંધનો અંત
તમને જણાવી દઇએ કે મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે 2019 માં ઇન્ડીયાઝ મોસ્ટ વોન્ટેડની સ્ક્રીનિંગ પર પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. ફેન્સ આ કપલના લગ્નની રાહ જોઇ રહ્યા હતા પરંતુ વર્ષો જૂના સંબંધનો હવે અંત આવ્યો અને તેમના બ્રેકઅપે ફેન્સને આંચકો આપ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news