Sushant Singh Case: મુંબઇ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા મહેશ ભટ્ટને- સૂત્ર

સ્વ. અમિનેતા સુંશાત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ મામલે મુંબઇ પોલીસ સતત સંબંધિત લોકોના નિવેદન નોંધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે હવે પોલીસે નિર્માતા નિર્દેશક મહેશ ભટ્ટ (Mahesh Bhatt)થી પૂછપરછ કરવા જઇ રહી છે.

Sushant Singh Case: મુંબઇ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા મહેશ ભટ્ટને- સૂત્ર

નવી દિલ્હી: સ્વ. અમિનેતા સુંશાત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ મામલે મુંબઇ પોલીસ સતત સંબંધિત લોકોના નિવેદન નોંધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે હવે પોલીસે નિર્માતા નિર્દેશક મહેશ ભટ્ટ (Mahesh Bhatt)થી પૂછપરછ કરવા જઇ રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર સોમવાર એટલે કે આજે 27 જુલાના મહેશ ભટ્ટનું નિવેદન નોંધવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ સ્ટેશને ફિલ્મ નિર્માતા-નિર્દેશક મહેશ ભટ્ટને પૂછપરછ માટે બોલાવ્યા છે. મહેશ ભટ્ટને આજે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં બપોર 12 વાગ્યા સુધીમાં પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું.

તમને જણાવી દઇએ કે, ગત રવિવારના મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે મીડિયાને જણાવ્યું હતું કે, એક અથવા બે દિવસમાં મહેશ ભટ્ટનું નિવેદન લેવામાં આવશે. સીઆરપીસી અંતર્ગત કંગના રનૌતને પણ સમન મોકલવામાં આવ્યો છે. જે કોઇપણની જરૂરત પડશે તેને બોલાવવામાં આવશે.

શું કરણ જોહરથી પણ પૂછપરછ કરવામાં આવશે. તેના પર મંત્રીએ જવાબ આપ્યો કે, કરણ જોહરના મેનેજરને સમન મોકલવામાં આવ્યો છે અને જરૂરીયાત પડી તો કરણ જોહરને પણ બોલાવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news