Kangana Ranautએ ચંડીગઢ પહોંચતા જ સાધ્યું સંજય રાઉત અને સોનિયા ગાંધી પર નિશાન

અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) અને મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) વચ્ચેનો ઝગડો હવે ટ્વિટર પર વધુ જોવા મળી રહ્યો છે. કંગના મુંબઈથી મનાલી જવા રવાના થઈ છે. કંગનાએ મુંબઇ એરપોર્ટ પરથી ટ્વીટ કર્યું હતું કે તે ભારે મન સાથે પરત ફરી રહી છું

Kangana Ranautએ ચંડીગઢ પહોંચતા જ સાધ્યું સંજય રાઉત અને સોનિયા ગાંધી પર નિશાન

નવી દિલ્હી: અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) અને મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) વચ્ચેનો ઝગડો હવે ટ્વિટર પર વધુ જોવા મળી રહ્યો છે. કંગના મુંબઈથી મનાલી જવા રવાના થઈ છે. કંગનાએ મુંબઇ એરપોર્ટ પરથી ટ્વીટ કર્યું હતું કે તે ભારે મન સાથે પરત ફરી રહી છું. ચંડીગઢ પહોંચતાં કંગનાએ ફરી એકવાર સંજય રાઉત અને સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે. ઉપરાંત, પોતાની સલામતી વિશેની માહિતી પણ ચાહકો સાથે શેર કરવામાં આવી છે.

— Kangana Ranaut (@KanganaTeam) September 14, 2020

ચંડીગઢ પહોંચતાં કંગનાએ એક ટ્વીટમાં લખ્યું કે, 'ચંડીગઢમાં ઉતરતાં જ મારી સુરક્ષા નજીવી બની ગઈ. લોકો તેમને ખુશીથી અભિનંદન આપી રહ્યા છે. લાગે છે કે આ વખતે હું બચી ગઇ છું. એક દિવસ હતો જ્યારે મને મુંબઈની માતાના આંચલની ઠંડક અનુભવાતી. આજે તે દિવસ છે જબ જાન બચી તો લાખો પાએ. શિવસેનામાંથી સોનિયા સેના થતા જ મુંબઇમાં આતંકી તંત્રની બોલબાલા છે. તમને જણાવી દઇએ કે, આ ચાલી રહેલા વિવાદની વચ્ચે કેન્દ્ર સરકારે કંગનાને કડક સુરક્ષા આપી છે. સાવચેતી રાખીને મુંબઇમાં તેમની સુરક્ષા વધુ કડક કરવામાં આવી હતી.

— Kangana Ranaut (@KanganaTeam) September 14, 2020

પરંતુ આ ટ્વીટ પર કંગના અટકી ન હતી, તેણે મનાલી જતા પહેલા એક વધુ ટ્વીટ કર્યું હતું. જેમાં કંગનાએ લખ્યું છે કે, 'દિલ્હીના દિલને ચીરીને ત્યાં આ વર્ષે લોહી વહી રહ્યું છે, સોનિયાની સેનાએ મુંબઇમાં મુક્ત કાશ્મીરના નારા લગાવ્યા, આજે સ્વતંત્રતાની કિંમત માત્ર અવાજ છે, મને તમારો અવાજ આપો, નહીં તો તે દિવસો દૂર નથી જ્યારે સ્વતંત્રતાની કિંમત માત્ર અને માત્ર લોહી હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news