Asha Parekh Love story: એક માણસના પ્રેમને સમર્પિત થઈ આશા પારેખ જીવનભર રહ્યા એકલા

Asha Parekh Love story: આશા પારેખે તેમના પ્રેમ સંબંધ અંગે એક ઈન્ટરવ્યુ દરમિયાન વાત કરી હતી. આશા પારેખે તેમના અંગત જીવન વિશે જણાવ્યું હતું કે એક સમયે તેઓ ડિપ્રેશનમાં પણ હતા.

Asha Parekh Love story: એક માણસના પ્રેમને સમર્પિત થઈ આશા પારેખ જીવનભર રહ્યા એકલા

Asha Parekh Love story: બોલીવુડના પ્રખ્યાત અભિનેત્રી આશા પારેખે તેમના સમયમાં ફિલ્મી પડદે ઘણી પ્રખ્યાતિ મેળવી હતી. જો કે આ અભિનેત્રીના અંગત જીવન વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. ખાસ કરીને તેમણે શા માટે લગ્ન નથી કર્યા અને તેઓ કોના પ્રેમમાં હતા તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. 70ના દાયકાના આ અભિનેત્રીએ તેમનું જીવન પોતાના પ્રેમને સમર્પિત કરી દીધું અને આજીવન લગ્ન કર્યા નહીં. આશા પારેખ પ્રેમમાં સમર્પણનું જીવંત ઉદાહરણ છે. 

આશા પારેખ આજે પણ તેમના જીવનમાં એકલા છે. આશા પારેખે લગ્ન કર્યા નથી અને તેઓ ઉંમરના આ તબક્કે પણ એકલા છે. એવું નથી કે તેમને કોઈ સાથે પ્રેમ ન હતો. પરંતુ પ્રેમ સફળ થાય તેવું તેમના ભાગ્યમાં ન હતું. આશા પારેખે તેમના પ્રેમ સંબંધ અંગે એક ઈન્ટરવ્યુ દરમિયાન વાત કરી હતી. આશા પારેખે તેમના અંગત જીવન વિશે જણાવ્યું હતું કે એક સમયે તેઓ ડિપ્રેશનમાં પણ હતા.

આશા પારેખે નાની ઉંમરમાં માતા-પિતા ગુમાવ્યા હતા. તેમને ગુમાવ્યા પછી તેઓ એકલા પડી ગયા હતા અને બધું જાતે જ કરવાનું હતું. તેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા. પરંતુ ત્યારબાદ તેઓ ધીરે ધીરે બધું સંભાળી આગળ વધવા લાગ્યા. 

આશા પારેખના પ્રેમ જીવનની વાત કરીએ તો તેઓ બોલીવુડના પ્રખ્યાત નિર્દેશક અને નિર્માતા નાસિર હુસૈનને પ્રેમ કરતા હતા. પરંતુ તેઓ લગ્ન કરી ન શક્યા. કારણ કે આશા પારેખ તેમનું ઘર તોડવા માંગતા ન હતા. આશા પારેખ અને નાસિર સાહેબના પરિવાર વચ્ચે સંબંધો સારા હતા અને આશા પારેખ તેને ખરાબ કરવા ઈચ્છતા ન હતા. તેથી તેમણે એકલવાયું અને શાંતિપૂર્ણ જીવન જીવવાનું નક્કી કર્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news