Ranbir Alia Wedding Live: આજે રોક સ્ટાર સાથે સાતફેરા ફરશે 'ગંગુબાઈ'! જાણો કેમ બદલાયું રિસેપ્શનનું સ્થળ

પ્રાપ્ત માહિતી મુજબ રણબીર કપૂર આલિયા ભટ્ટના લગ્ન પછી મુંબઈમાં આવેલાં બાંદ્રાના પાલી હિલ સ્થિત 'વાસ્તુ' એપાર્ટમેન્ટમાં રિસેપ્શન પણ યોજવામાં આવશે. આજે જ્યાં આ કપલ સપ્તપદીના સાત ફેરા ફરીને લગ્નબંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. મળતી માહિતી મુજબ જ આ જ સ્થળે 16 એપ્રિલના રોજ રિસેપ્સશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Ranbir Alia Wedding Live: આજે રોક સ્ટાર સાથે સાતફેરા ફરશે 'ગંગુબાઈ'! જાણો કેમ બદલાયું રિસેપ્શનનું સ્થળ

મુંબઈઃ કપૂર ખાનદાનનો ચશ્મો-ચિરાગ આજે ઘોડી ચઢવા જઈ રહ્યો છે. રીશી કપૂર અને નીતુ કપૂરનો પુત્ર અને મહેશ ભટ્ટની પુત્રી આજે સપ્તપદીના સાતફેરા લઈને જીવનની નવી ઈનિંગ શરૂ કરશે. રણબીર અને આલિયાના લગ્નની વિવિધ વિધિઓ શરૂ થઈ ગઈ છે. આ સમારોહમાં બોલીવુડના નામાંકિત લોકો હાજરી આપવાના છે. સવારે 9 વાગ્યાથી રણબીર અને આલિયાના લગ્નની હલ્દી સેરેમની શરૂ થઈ ગઈ છે. આજે સાંજે આ યંગેસ્ટ કપલ લગ્ન ગ્રંથીથી જોડાઈને રીલ નહીં પરંતુ રિયલ લાઈફની નવી ઈનિંગની શરૂઆત કરશે. હલ્દી સેરેમની પછી ચુડા સમારોહ યોજાશે.

No description available.

રણબીર-આલિયાનું રિસેપ્શન વાસ્તુ એપાર્ટમેન્ટમાં જ યોજાશે-
પ્રાપ્ત માહિતી મુજબ રણબીર કપૂર આલિયા ભટ્ટના લગ્ન પછી મુંબઈમાં આવેલાં બાંદ્રાના પાલી હિલ સ્થિત 'વાસ્તુ' એપાર્ટમેન્ટમાં રિસેપ્શન પણ યોજવામાં આવશે. આજે જ્યાં આ કપલ સપ્તપદીના સાત ફેરા ફરીને લગ્નબંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. મળતી માહિતી મુજબ જ આ જ સ્થળે 16 એપ્રિલના રોજ રિસેપ્સશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પરિવારના સભ્યો ઉપરાંત મિત્રો અને બોલીવુડના નામાંકિત લોકો હાજર રહેશે. ઉલ્લેખનીય છેકે, આ પહેલાં રિસેપ્શનનું આયોજન તાજમહેલ પેલેસ એટલેકે, તાજ કોલાબામાં થવાનું હતું. બાદમાં તે વેન્યૂને ચેન્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

No description available.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન ભવ્ય રીતે યોજાનાર છે એવામાં આ ઈવેન્ટ માટે સિક્યોરિટીની પુરેપુરી વ્યવસ્થા કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે વીઆઈપી લોકોની સુરક્ષા માટે મોટા લેવલે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગેસ્ટની સાથે સાથે સિક્યોરિટી ગાર્ડ્સ માટે પણ અલગ બેંડ્સની તૈયારી કરવામાં આવી છે. જોકે, હાલ તેમના લગ્નની તસવીરો અને વીડિયોને આતુરતાપૂર્વક ચાહકો રાહ જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છેકે,થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઇને સમાચારો આવી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી આ અલ્ગ્નને લઇને કોઇ સત્તાવાર રીતે જાહેરાત થઇ નથી. તો બીજી તરફ રણબીર કપૂરની માતા અને અભિનેત્રી નીતૂ કપૂરે આ લગ્નના સમાચારની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી દીધી છે.

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં નીતૂ કપૂર અને તેમની પુત્રે ઋદ્ધિમા કપૂર સાહની એકસાથે તૈયાર જોવા મળી રહ્યા છે. બંનેને પૈપરાજીએ ઘેરી લીધા અને સેલેબ કપલના લગ્ન વિશે વાત કરી. આ દરમિયાન પૈપરાજીએ પૂછ્યું કે હવે તો કહી દો લગ્ન ક્યારે છે. ત્યારે નીતૂ કપૂરે જણાવ્યું કે આવતીકાલે એટલે ગુરૂવારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન છે.  

રણબીર કપૂર આલિયા ભટ્ટના લગ્નની પ્રાઈવેસી મેન્ટેન કરવાની પુરેપુરી કોશિશ જોરશોરથી કરવામાં આવી રહી છે. અગાઉ તો લગ્નના વેન્યૂથી લઈને રસ્મની તારીખ સુધી બધુ ગુપ્ત રાખવામાં આવ્યું હતું. લગ્નમાં આવનાર દરેક મહેમાનને પણ પ્રાઈવેસી મેન્ટેન કરવાની રહેશે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news