#MeToo : આલોક નાથે હવે વિંતા પર ઠોક્યો માનહાનિનો કેસ, માંગેલી રકમ જાણીને લાગશે આંચકો

#MeToo મુવમેન્ટમાં બોલિવૂડમાં 'સંસ્કારી' એક્ટર આલોક નાથ પર અનેક મહિલાઓએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.

#MeToo : આલોક નાથે હવે વિંતા પર ઠોક્યો માનહાનિનો કેસ, માંગેલી રકમ જાણીને લાગશે આંચકો

મુંબઈ : આલોક નાથે રાઈટર-પ્રોડ્યુસર વિંતા નંદા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેણે કેસ દાખલ કરતાં વિંતા નંદા પાસે લેખિતમાં માફી અને વળતર તરીકે એક રુપિયાની માગણી કરી છે. ફરિયાદમાં આલોકનાથ અને તેની પત્ની આશુ તરફથી વિંતા નંદાના દરેક આરોપોને ખોટા ગણાવવામાં આવ્યાં છે. આ મામલે વિંતા નંદાએ પણ રિએક્શન આપ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હવે આ મામલે કોર્ટમાં જ નિર્ણય થશે અને તેના પર આલોક નાથ કે એના વકીલની ધમકીઓની કોઈ જ અસર નથી થતી. 

#MeToo મુવમેન્ટમાં બોલિવૂડમાં 'સંસ્કારી' એક્ટર આલોક નાથ પર અનેક મહિલાઓએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ ઘટના પછી આલોક નાથ તરફથી કોઈ નિવેદન નથી આવ્યું. જોકે તેમના વકીલે નિવેદન આપ્યું હતું કે આલોક નાથ આઘાતમાં છે અને થોડાક સમય પછી નિવેદન આપશે. આ મામલામાં સિને અને ટીવી કલાકારોના અસોશિયેશન સિન્ટા (CINTAA)એ એની વિરૂદ્ધ નોટિસ આપી હતી. હવે આલોક નાથે આરોપ વિરૂદ્ધ પગલું ભર્યું છે.

આલોક નાથે ઠોકેલી માનહાનિની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે વિંતા નંદા દ્વારા સોશિયલ મીડિયા તેમજ મીડિયાને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂના કારણે આલોક નાથ તેમજ પત્ની આશુની ઈમેજને નુકસાન પહોંચ્યું છે. આ બન્ને ખૂબ જ ડરેલા છે. બહાર જતાં સમયે તેમને લોકોનું અલગ જ વલણ જોવા મળે છે. આ કારણે વિંતાએ જે કર્યું છે તે પણ અપરાધની શ્રેણીમાં આવે છે.

વિંતાની ફેસબુક પોસ્ટ પ્રમાણે તે આલોક નાથની પત્નીની મિત્ર હતી. આ વાતનો ફાયદો ઉઠાવીને આલોક નાથે એનું શોષણ કર્યું હતું. વિંતાએ કહ્યું છે કે જ્યારે હું 1994ના લોકપ્રિય શો 'તારા' માટે કામ કરી રહી હતી ત્યારે આલોક નાથે મારી સાથે શારીરિક દુર્વ્યવહાર કર્યો હતો. ફેસબુક પોસ્ટમાં વિંતાએ આરોપ લગાવ્યો છે કે અભિનેતાએ તેની સાથે એકવાર નહીં પણ બે-બે વાર બળાત્કાર કર્યો હતો. વિંતાએ ફેસબુક પોસ્ટમાં જે વિગતો જણાવી છે એ ભારે ચોંકાવનારી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news