ટેક્સ ભરો અને તમને મળશે PM મોદીની સાથે ચા પીવાની તક, જાણો કેવી રીતે

ટેક્સપેયર્સને ચા માટે આમંત્રિત કરવાની યોજના એકદમ નવી છે. જોકે સરકાર પહેલાંથી જ ઘણી નોન-મોનેટરી ઇંસેટિવ આપે છે, પરંતુ પીએમની સાથે ચાય પે ચર્ચાની તક મળતાં ટેક્સપેયર્સ વધુ ટેક્સ આપવા માટે પ્રોત્સાહિત થશે.

ટેક્સ ભરો અને તમને મળશે PM મોદીની સાથે ચા પીવાની તક, જાણો કેવી રીતે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદીની 'ચાય પે ચર્ચા' એવો વિષય છે, જે 2014 પછી સૌથી વધુ હાઇલાઇટમાં રહ્યો. દેશનો કદાચ જ કોઇ નાગરિક હશે જે પીએમ મોદી સાથે ચા પીવાની તક છોડી દે. હવે આ તક સરકાર તમને આપવા જઇ રહી છે. હવે સામાન્ય વ્યક્તિ પણ પીએમ મોદી સાથે ચા પી શકશે. મોદી સરકારે તેના માટે એક યોજના તૈયાર કરી છે. મોદી સરકારની આ યોજના ઇનકમ ટેક્સ ચૂકવનારને પ્રોત્સાહિત કરવા માટે છે. જોકે યોજનાને ફાઇનલ ટચ આપવાનો બાકી છે.

ટેક્સ કલેક્શન વધારવાનો ટાર્ગેટ
મોદી સરકાર ઇનકમ ટેક્સ આપનારને પ્રોત્સાહન આપવા માંગે છે. આ યોજના હેઠળ સૌથી વધુ ટેક્સ ચૂકવનાર લોકોને પ્રધાનમંત્રી મોદી અથવા નાણામંત્રી નિર્મલા સીતારમણની સાથે ચા પીવાની તક મળશે. પીએમઓ સાથે જોડાયેલા એક અધિકારીએ ઝી બિઝનેસને નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે સરકારે આ યોજનાથી ઇનકમ ટેક્સ કલેક્શન વધારવાનો ટાર્ગેટ રાખ્યો છે.  

બજેટમાં થઇ શકે છે જાહેરાત
યોજના સાથે જોડાયેલી જાણકારી રાખનાર વ્યક્તિએ જણાવ્યું કે સરકાર ટેક્સ સિસ્ટમને વધુ પ્રગતિશીલ બનાવવા માંગે છે. હાલના સમયમાં જે પણ સૌથી વધુ ટેક્સ ચૂકવે છે, તેમને સરકાર દ્વારા એપ્રિસિએશન સર્ટિફિકેટ આપવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો યોજનાની જાહેરાત જુલાઇમાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવી શકે છે. 

ચા પર બોલાવવાની યોજના એકદમ નવી
ટેક્સપેયર્સને ચા માટે આમંત્રિત કરવાની યોજના એકદમ નવી છે. જોકે સરકાર પહેલાંથી જ ઘણી નોન-મોનેટરી ઇંસેટિવ આપે છે, પરંતુ પીએમની સાથે ચાય પે ચર્ચાની તક મળતાં ટેક્સપેયર્સ વધુ ટેક્સ આપવા માટે પ્રોત્સાહિત થશે.

વધી શકે છે ટેક્સ કલેક્શન
એવું માનવામાં આવી રહ્યું છે કે હવે સાથે ચા પીવાની સ્કીમથી નિશ્વિતપણે સરકારના ટેક્સ કલેક્શનમાં વધારો થશે. અત્યાર સુધી ટેક્સ ડિપાર્ટમેન્ટ સૌથી વધુ ટેક્સ ચૂકવનાર લોકોને એપ્રિસિએશન સર્ટિફિકેટ આપે છે.  

ઓછા ટેક્સ કલેક્શનથી મળ્યો આઇડિયા
તમને જણાવી દઇએ કે 31 માર્ચના રોજ પુરૂ થનાર નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સરકારના રિવાઇઝ્ડ ટાર્ગેટથી પણ ઓછો રહ્યો છે. સરકારે 12 લાખ કરોડ રૂપિયા ટેક્સ કલેક્શન કર્યું હતું. 

ખેડૂતોને પહોચાડશે ફાયદો
સરકાર પોતાના બીજા કાર્યકાળમાં વડાપ્રધાન કિસાન સન્માન નિધિ જેવી વેલફેર સ્કીમને વધારવા માંગે છે. તેનાથી આ નાણાકીય વર્સઃઅમાં 12 હજાર કરોડનો વધારાનો બોજો પડશે. વચગાળાના બજેટમાં સરકારે આ યોજના માટે 75 હજાર કરોડનું બજેટ નક્કી કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news