મોદી સરકાર 2 ની સામે છે આર્થિક પડકારો અપાર, કેવી રીતે કરશે પાર

દેશમાં ફરી એકવાર પાંચ વર્ષ માટે સ્થિર સરકાર બનાવવા જઇ રહી છે. આર્થિક મોરચા પર આ ભારત માટે સકારાત્મક સંકેત છે ત્યારે જ્યારે આ દુનિયાની સૌથી ઝડપથી વધનાર અર્થવ્યવસ્થા છે, પરંતુ તેમછતાં તેને પીએમ નરેંદ્ર મોદીના નેતૃત્વવાળી નવી સરકાર સામે ઘણા પડકારો હશે, જેને પાર પાડવા પડશે. આ પડકારો વિકાસની ધીમી રફતાર, નબળી માંગ, પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટમાં નબળાઇ અને વૈશ્વિક આર્થિક અનિશ્વિતતા છે. આંકડા દ્વારા જાણીએ શું છે આગળના પડકારો... 
મોદી સરકાર 2 ની સામે છે આર્થિક પડકારો અપાર, કેવી રીતે કરશે પાર

નવી દિલ્હી: દેશમાં ફરી એકવાર પાંચ વર્ષ માટે સ્થિર સરકાર બનાવવા જઇ રહી છે. આર્થિક મોરચા પર આ ભારત માટે સકારાત્મક સંકેત છે ત્યારે જ્યારે આ દુનિયાની સૌથી ઝડપથી વધનાર અર્થવ્યવસ્થા છે, પરંતુ તેમછતાં તેને પીએમ નરેંદ્ર મોદીના નેતૃત્વવાળી નવી સરકાર સામે ઘણા પડકારો હશે, જેને પાર પાડવા પડશે. આ પડકારો વિકાસની ધીમી રફતાર, નબળી માંગ, પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટમાં નબળાઇ અને વૈશ્વિક આર્થિક અનિશ્વિતતા છે. આંકડા દ્વારા જાણીએ શું છે આગળના પડકારો... 

સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા, પરંતુ વિકાસની સુસ્ત રફતાર
ભારત દુનિયાની સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થા છે, એવામાં વિકાસ દરની ગતિને યથાવત રાખવા સરકાર માટે મોટો પડકાર હશે. ગત કેટલાક ત્રિમાસિકમાં વિકાસ દર રફતારમાં થોડી સુસ્તી આવી છે, એવામાં સરકારને આ દિશામાં સક્રિય ભૂમિકા ભજવવી પડશે. 

નબળી માંગ
તાજેતરના મહીનામાં અર્થવ્યવસ્થામાં સુસ્તી જોવા મળી રહી છે. માંગમાં સતત ઘટાડો આવી રહ્યો છે, જે ચિંતાની વાત છે. માંગમાં જીવ પુરવા માટે સરકારને રણનીતિ નક્કી કરવી પડશે.

નબળા મોનસૂનની કૃષિ પર થશે અસર
જો મોનસૂન નબળુ હોય તો ગ્રામીણ સંકટ વધુ સારુ થઇ જશે . આ ઉપરાંત ઓછા જથ્થાબંધ મોંઘવારી એ તરફ ઇશારો કરે છે કે ખેડૂતોને તેમના ખાદ્ય ઉત્પાદકોની યોગ્ય કિંમત નથી મળી રહી. એવામાં સરકારને આ સંકટને પાર પાડવા માટે પરિશ્રમ કરવો પડશે.

પ્રાઇવેટ ઇન્વેસ્ટમેંટ આશા અનુરૂપ નહી
ગત કેટલાક મહિનાઓમાં ખાનગી રોકાણમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જેના લીધે નિર્યાતમાં ઘટાડો આવ્યો છે. જો ભારતને પોતાના વિકાસ દરને બે આંકમાં પહોંચાડ્યો છે તો તેને આ પડકારોને પાર પાડવા પડશે. તેના માટે ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા માટે નીતિઓમાં ઢીલ આપવી પડશે. 

રોજગારીની કમી
દેશની સામે હાલ આ સૌથી મોટો મુદ્દો છે. વર્લ્ડ બેંકની એક રિપોર્ટ પર નજર કરીએ તો ભારતમાં દર વર્ષે 81 લાખ રોજગારીની જરૂરિયાતો છે. કેટલાક રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે નોટબંધી તથા જીએસટી લાગૂ બાદ મોટી સંખ્યામાં રોજગાર ખતમ થયો છે. એવામાં દેશવાસીઓની આકાંક્ષાઓ પર ખરા ઉતરવા માટે સરકારને રોજગારોના સૃજન માટે ખૂબ કામ કરવું પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news