'ગુલાબી નોટો' પાછી ખેંચવાની જાહેરાત બાદ અચાનક કેમ વધી ગઈ સોનાની માંગ? જાણો કિંમત

2000 Notes Closure: હાલ એક તરફ ભારત સરકારે 2000 ની નોટો પરત ખેંચી લેવાની જાહેરાત કરી દીધી છે. જેને કારણે લોકો ચિંતામાં છે. ત્યાં બીજી તરફ અચાનક વધવા લાગ્યો છે સોનાનો ભાવ....આખરે શું છે કારણ?

'ગુલાબી નોટો' પાછી ખેંચવાની જાહેરાત બાદ અચાનક કેમ વધી ગઈ સોનાની માંગ? જાણો કિંમત

Rs 2000 Note: ભારત સરકારે ગુલાબી નોટો એટલેકે, 2000 ની નોટો બંધ કરવાની જાહેરાત કરી એની સાથે જ ફરી એક પ્રકારનું ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. એમાંય ગરીબી અને મધ્ય પરિવારોને એટલી ચિંતા નથી. પણ શ્રીમંત પરિવારો, મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને માલેતુરાઓની હાલ ઊંઘ હરામ થઈ ગઈ છે. જોકે, એ બધાની વચ્ચે આશ્ચર્યજનક રીતે સોનાની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. શું આ કોઈ સંજોગ છેકે, પછી આની પાછળ પણ કોઈ રહસ્ય, કોઈ લોજીક છુપાયેલું છે એ પણ જણાવા જેવું છે.

દેશમાં સોનાનું વેચાણ વધવાની ધારણા છે. 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકમાંથી 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. પરંતુ આ દરમિયાન કેટલીક બેંક શાખાઓએ રૂ. 2000ની નોટ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બે હજાર રૂપિયાની નવી નોટ પાછી ખેંચી લેવાના નિર્ણય બાદ જ્વેલર્સ પાસેથી સોના-ચાંદીની ખરીદીને લગતી પૂછપરછમાં વધારો થયો છે. તમને જણાવી દઈએ કે ચીન પછી ભારતમાં સોનાનો વપરાશ વિશ્વમાં સૌથી વધુ છે. આવી સ્થિતિમાં દેશમાં પણ સોનાના વેચાણમાં વધારો થવાની ધારણા છે. 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકમાંથી 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. પરંતુ આ દરમિયાન કેટલીક બેંક શાખાઓએ રૂ. 2000ની નોટ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.

આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
આ પણ ખાસ વાંચોઃ  શું ખરેખર કપડા વિના સુવાથી થાય છે કોઈ લાભ? આ અફવા છે કે સાચું છે જાણો
​આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન

નોટો બદલવાની પ્રક્રિયા 23 મેથી શરૂ થશે-
કેટલીક બેંકોએ ગેટ પર નોટિસ ચોંટાડી છે કે 23 મેથી નોટો બદલવાની પ્રક્રિયા શરૂ થશે. બુલિયન ટ્રેડર્સ એસોસિએશનની સંસ્થા ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલએ જણાવ્યું હતું કે, "જો કે, 2016માં નોટબંધી દરમિયાન જોવા મળેલી પરિસ્થિતિથી વિપરીત, હવે સોનાની ખરીદીમાં કોઈ ગભરાટ નથી." તમારા ગ્રાહકને જાણો (KYC)ના કડક ધોરણોને કારણે છેલ્લા બે દિવસમાં રૂ. 2,000ની નોટ સામે સોનાની ખરીદી ઓછી રહી છે.

સોનાનો ભાવ રૂ. 60,200ના સ્તરે છે-
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે કેટલાક જ્વેલર્સે સોનાની ખરીદી પર 5-10 ટકા પ્રીમિયમ વસૂલવાનું શરૂ કર્યું છે, જેના કારણે પીળી ધાતુની કિંમત 66,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગઈ છે. હાલમાં દેશમાં સોનું 60,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC)ના ચેરમેન સંયમ મહેરાએ જણાવ્યું હતું કે, 'રૂ. 2,000ની નોટો સાથે સોનું કે ચાંદી ખરીદવા અંગે ઘણી પૂછપરછ કરવામાં આવી રહી છે, તેથી શનિવારે વધુ ગ્રાહકો દુકાનોમાં આવ્યા હતા. જો કે, કડક KYC નિયમોને કારણે વાસ્તવિક ખરીદીમાં ઘટાડો થયો છે.

શું છે RBIનો આદેશ?
રિઝર્વ બેંકના આદેશ અનુસાર, 2000ની નોટ બેંક ખાતામાં 30 સપ્ટેમ્બર 2023 સુધી જમા કરાવી શકાય છે અથવા તમે કોઈપણ શાખામાં જઈને તેને બદલી શકો છો. જોકે, 30 સપ્ટેમ્બર 2023 પછી પણ 2000 રૂપિયાની નોટ ચલણમાં રહેશે. 2000 રૂપિયાની જે પણ નોટો બેંકોની શાખાઓમાં જમા કરવામાં આવશે, તે કરન્સી ચેસ્ટમાં મોકલવામાં આવશે. તે પછી તેમને આરબીઆઈ તરફ ફરીથી જારી કરવામાં આવશે નહીં.

આ પણ ખાસ વાંચોઃ  લોન પર ઘર લેવા કરતા ભાડે રહેવું સારું, આંકડાનું આ ગણિત જાણી ખુલી જશે બંધ અકલનું તાળુ
આ પણ ખાસ વાંચોઃ  કાયદાની વાત! નહી ચાલે બિલ્ડરની મનમાની : તમે હકથી માંગી શકશો વળતર, જાણી લો આ છે નિયમો
આ પણ ખાસ વાંચોઃ  ભાડુઆત અને મકાન માલિક બન્ને આ નિયમો નહીં જાણતા હોય તો થશે મોટી માથાકૂટ!
આ પણ ખાસ વાંચોઃ  મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news