1 ઓક્ટોબરથી બદલાઇ જશે બેકિંગ સાથે જોડાયેલો નિયમ, બધા પર પડશે અસર, RBI એ આપ્યો આ આદેશ

આરબીઆઇ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ નવા નિયમોનો ઉદ્દેશ્ય ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ પહેલાંથી વધુ સુરક્ષિત બનાવવાનો છે. જોકે ગત થોડા દિવસોથી ક્રેડિટ-ડેબિટ કાર્ડ સાથે થઇ રહેલી છેતરપિંડીના ઘણા સમાચારો સામે આવી રહ્યા હતા.

1 ઓક્ટોબરથી બદલાઇ જશે બેકિંગ સાથે જોડાયેલો નિયમ, બધા પર પડશે અસર, RBI એ આપ્યો આ આદેશ

Tokenise Credit- Debit Card: 1 ઓક્ટોબરથી બેકિંગ સેક્ટૅરથી જોડાયેલા મોટા નિયમમાં ફેરફાર થવા જઇ રહ્યા છે. આરબીઆઇએ તેના માટે આદેશ પણ જાહેર કરી દીધો છે. જોકે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ઉપયોગ કરનારા માટે આરબીઆઇ 1 ઓક્ટોબરથી કાર્ડ-ઓન-ફાઇલ ટોકનાઇજેશન (CoF Card Tokenisation) નિયમ લાવી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાનું કહેવું છે કે ટોકનાઇઝેશન સિસ્ટમમાં ફેરફાર આવ્યા બાદ કાર્ડહોલ્ડર્સને વધુ સુવિધાઓ અને સુરક્ષા મળશે. 

આરબીઆઇએ આપી જાણકારી
આરબીઆઇ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ નવા નિયમોનો ઉદ્દેશ્ય ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ પહેલાંથી વધુ સુરક્ષિત બનાવવાનો છે. જોકે ગત થોડા દિવસોથી ક્રેડિટ-ડેબિટ કાર્ડ સાથે થઇ રહેલી છેતરપિંડીના ઘણા સમાચારો સામે આવી રહ્યા હતા. પરંતુ નવા નિયમને લાગૂ થયા થયા બાદ ડેબિટ કાર્ડથી ઓનલાઇન, પોઇન્ટ ઓફ સેલ (POS) અથવા એપ પર ટ્રાંજેક્શન કરશે, તો તમામ ડિટેલ ઇનક્રિપેડ કોડમાં સેવ થશે. 

જાણો શું છે આ ટોકનાઇજેશન સિસ્ટમ? 
ટોકન સિસ્ટમથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો સમગ્ર ડેટા 'ટોકન' માં બદલાઇ જાય છે. જેનાથી તમારા કાર્ડની જાણકારી ડિવાઇસમાં છુપાયેલી રાખવામાં આવે છે. આરબીઆઇએ કહ્યું કે કોઇપણ વ્યક્તિ ટોકન બેંક પર રિકવેસ્ટ કર કાર્ડને ટોકનમાં ફેરફાર કરી શકે છે. કાર્ડને ટોકન કરવામ આટે કાર્ડધારકને કોઇ શુલ્ક આપવી નહી પડે. જો તમે તમારા કાર્ડને ટોકનમાં બદલી દેશો તો કોઇપણ શોપિંગ વેબસાઇટ અથવા ઇ-કોમર્સ વેબસાઇટ પર તમારા કાર્ડની જાણકારી ટોકનમાં સેવ કરવામાં આવશે. 

આરબીઆઇના આ નવા નિયમમાં ગ્રાહક પાસેથી મંજૂરી લીધા વિના તેની ક્રેડિટ લિમિટને વધારી શકાશે નહી. એટલું જ નહી, જો કોઇ પેમેન્ટ કરવામાં આવ્યું નથી તો ચાર્જ અથવા ટેક્સ વગેરેનું વ્યાજ ઉમેરતી વખતે કેપિટલાઇઝ કરવામાં નહી આવે. તેનાથી ગ્રાહકોને નુકસાન થશે નહી. ઘણીવાર એવી ઘટનાઓ સામે આવે છે જ્યારે બેંકો તરફથી અથવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનાર સંસ્થા દ્રારા ઘણા કાર્ડ સાથે જોડાયેલા નવા પગલાં ભરવામાં આવશે. 

છેતરપિંડીના કેસ ઘટશે
રિઝર્વ બેંકનું કહેવું છે કે નવા નિયમને લાગૂ થયા બાદ પેમેન્ટની વ્યવસ્થા લાગૂ થતાં ફ્રોડના કેસ ઘટશે. જોકે અત્યારે ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડની જાણકારીઓ લીક થઇ જતાં તેમની સાથે ફ્રોડનું રિસ્ક વધી જાય છે. રિઝર્વ બેંકે કહ્યું કે અત્યારે ઇ-કોમર્સ વેબસાઇટ, મર્ચન્ટ સ્ટોર અને એપ વગેરે ગ્રાહકોને ડેબિટૅ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડમાંથી પેમેન્ટ કર્યા બાદ કાર્ડની ડિટેલ્સ સ્ટોર કરી લે છે. ઘણા કેસ મર્ચટ્સ ગ્રાહકો સામે કાર્ડ ડિટેલ્સ સ્ટોર કરવા ઉપરાંત અન્ય વિકલ્પ છોડતા નથી. આ ડિટેલ્સ લીક થતાં ગ્રાહકોને નુકસાનની સંભાવના રહે છે. પરંતુ હવે નવા નિયમ લાગૂ થશે ત્યાર આ પ્રકારની ઘટનાની પર પ્રતિબંધ લાગી જશે. 

નવી જોગવાઇમાં ઘણું બધુ ખાસ
આરબીઆઇની નવી જોગવાઇઓમાં સૌથી ખાસ વાત એ છે કે કાર્ડ દ્રારા થનાર ટ્રાંજેક્શનથી જોડાયેલી જાણકારી 'કો બ્રાંડિંગ પાર્ટનર' ને આપવામાં નહી આવે. આ જોગવાઇઓને કો-બ્રાંડેડ કાર્ડ સેગ્મેંટમાં ઓપરેટ કરી કંપનીના બિઝનેસ મોડલને પ્રભાવિત કરી શકે છે, કારણ કે કંપનીઓ આ ટ્રાંજેક્શનના આધારે કસ્ટમરને વિભિન્ન રીતે ઓફર આપીને આકર્ષકવામાં આવે છે. એવામાં ગ્રાહકોને કોઇપણ રીતે ફસાવવાનો ડર નહી હોય. સાથે જ કાર્ડને લઇને આર્થિક નુકસાનનો કોઇ ખતરો પણ નહી હોય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news