Rishi Sunak: નારાયણમૂર્તિના જનાઈ ઋૃષિ સુનાક બન્યા બ્રિટનના નાણાપ્રધાન

ઋૃષિ સુનક બોરિસ જોનસનના મંત્રીમંડળમાં ભારતીય મૂળના બીજા મોટા મંત્રી છે. 
 

Rishi Sunak: નારાયણમૂર્તિના જનાઈ ઋૃષિ સુનાક બન્યા બ્રિટનના નાણાપ્રધાન

લંડનઃ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ગુરૂવારે પોતાના મંત્રીમંડળમાં ફેરફાર કર્યો છે. ભારતીય મૂળના રાજનેતા અને ઇન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણમૂર્તિના જમાઈ ઋૃષિ સુનાકને નવા નાણાપ્રધાન બનાવ્યા છે. 

ઋૃષિ સુનક બોરિસ જોનસનના મંત્રીમંડળમાં ભારતીય મૂળના બીજા મોટા મંત્રી છે. ભારતીય મૂળની જ પ્રીતિ પટેલ આ સમયે બ્રિટનના ગૃહ પ્રધાન છે. સુનાક સર્વોચ્ચ સરકારી બેંચમાં ગૃહ સચિવ પ્રીતિ પટેલની સાથે બ્રિટનના ચાન્સલર ઓફ ધ એક્સચેકરના રૂપમાં સામેલ થશે. 

— Press Trust of India (@PTI_News) February 13, 2020

આ પહેલા પાકિસ્તાની મૂળના સાજિદ જાવિદે ચાન્સલરના રૂપમાં અચાનક રાજીનામું આપી દીધું હતું. 39 વર્ષીય સુનાક સાજીદ જાવિદના જૂનિયર તરીકે ટ્રેઝરીના મુખ્ય સચિવનું પદ સંભાળી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news