Gold Silver Price: સતત ચોથા દિવસે સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો શું છે નવી કિંમત

Gold Silver Price Today આજે સોનું ફરી સસ્તું થઈ ગયું છે. રિટેલ માર્કેટમાં પણ સોનાના ભાવ ઘટ્યા છે. કાલે સોનું પોતાના નીચલા સ્તરથી સુધાર કરતા આગળ વધ્યું હતું. ખરીદતા પહેલાં જાણી લો સોનાનો નવો ભાવ.

Gold Silver Price: સતત ચોથા દિવસે સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો શું છે નવી કિંમત

નવી દિલ્હીઃ Gold Silver Price: નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે દિલ્હી બુલિયન માર્કેટમાં ગુરુવારે સોનું રૂ. 295 ઘટીને રૂ. 55,700 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. અગાઉના સત્રમાં સોનું 55,995 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ પણ રૂ. 640 ઘટી રૂ. 64,380 પ્રતિ કિલો બંધ રહ્યો હતો. વિદેશી બજારોમાં, સોનું અને ચાંદી બંને અનુક્રમે $1,831 પ્રતિ ઔંસ અને $20.80 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા હતા.

દરમિયાન, ગુરુવારે વાયદાના વેપારમાં સોનું રૂ. 51 ઘટીને રૂ. 55,779 પ્રતિ 10 ગ્રામ થયું હતું કારણ કે વેપારીઓએ તેમના સોદાના કદમાં ઘટાડો કર્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ખાતે એપ્રિલમાં ડિલિવરી માટેના સોનું કોન્ટ્રેક્ટ 11,125 લોટના બિઝનેસ ટર્નઓવરમાં રૂ. 51 અથવા 0.09 ટકાના ઘટાડા સાથે રૂ. 55,779 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

Gold Silver Price Today વિશ્લેષકોએ સોનાના ભાવમાં ઘટાડો થવાનું કારણ ટ્રેડર્સ દ્વારા પોઝિશન ઓફ લોડિંગને આપ્યો છે. વૈશ્વિક સ્તરે, ન્યૂયોર્કમાં સોનું 0.41 ટકા ઘટીને $1,837.80 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું.

ચાંદી વાયદામાં પણ ઘટાડો
ગુરુવારે ચાંદીનો વાયદો રૂ. 360 ઘટી રૂ. 63,575 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડર્સની પોઝિશનમાં ઘટાડો થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, માર્ચમાં ડિલિવરી માટે ચાંદીનો ભાવ રૂ. 360 અથવા 0.56 ટકાના ઘટાડા સાથે રૂ. 63,575 પ્રતિ કિલોગ્રામ પર 257 લોટમાં વેપાર થયો હતો. વૈશ્વિક સ્તરે, ન્યુયોર્કમાં ચાંદી 0.92 ટકા ઘટીને 20.90 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news