શું તમે કંપનીમાં 5 વર્ષ કામ કર્યા વગર Gratuity મેળવી શકો છો? જાણો મહત્વના નિયમો

દરેક કર્મચારીના પગારનો એક ભાગ ગ્રેચ્યુઈટી અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા માટે કાપવામાં આવે છે. ગ્રેચ્યુટી માટે નાનો ભાગ કર્મચારીને અને મોટો ભાગ એમ્પ્લોયરને આપવો પડે છે. 

શું તમે કંપનીમાં 5 વર્ષ કામ કર્યા વગર Gratuity મેળવી શકો છો? જાણો મહત્વના નિયમો

નવી દિલ્હીઃ ગ્રેચ્યુટીની કલમ 1972 હેઠળ, જો તમે ગ્રેચ્યુટીની સંપૂર્ણ રકમનો લાભ લેવા માંગતા હોવ, તો તમે કંપનીમાં ઓછામાં ઓછા 5 વર્ષ કામ કર્યું હોવું જોઈએ. જો કોઈ કર્મચારી સરકારી અથવા ખાનગી ક્ષેત્રમાં 5 વર્ષથી વધુ સમય સુધી કામ કરે છે તો તેને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે. આ રકમ કર્મચારીને નિવૃત્તિ કે નોકરી છોડવાના કિસ્સામાં મળે છે. 

દરેક કર્મચારીના પગારમાંથી ગ્રેચ્યુઇટીના નાણાં કાપવામાં આવે છે. ગ્રેચ્યુઈટી એક્ટ 1972 મુજબ, જો કોઈ વ્યક્તિએ તેની કંપનીમાં 5 વર્ષ સુધી સતત કામ કર્યું નથી અને નોકરી છોડી છે, તો તે ગ્રેચ્યુઈટીની રકમનો હકદાર નથી પરંતુ કેટલાક ખાસ સંજોગો છે જ્યારે 5 વર્ષનો સમયગાળો પૂરો કર્યા વગર કર્મચારી ગ્રેચ્યુઇટીની રકમ મેળવી શકે છે. 

નિયમને સમજો
જો કોઈ કર્મચારીનું અકસ્માતને કારણે મૃત્યુ થાય તો તેના પરિવારને ગ્રેચ્યુટીનો લાભ મળી શકે. જો કોઈ કર્મચારી અકસ્માતમાં અક્ષમ થઈ જાય અને ફરીથી કામ કરવા માટે અસમર્થ હોય, તો તે 5 વર્ષનો સમયગાળો પૂરો કર્યા વગર પણ ગ્રેચ્યુઈટીની રકમ મેળવી શકે છે. જો તમે ફોર્મ F ભર્યું હશે તો તમે ગ્રેચ્યુઈટીનો દાવો કરવા માટે લાયક બનશો.

ગ્રેચ્યુટીનું ફોર્મેટ સમજો
ગ્રેચ્યુઈટીની ફોર્મ્યુલાએ કર્મચારીને મળેલો છેલ્લો પગાર છે સમજો કે કોઈ (x) કંપનીમાં કામ કરેલા દિવસોની સંખ્યા (x) (15/26). જો તમને 1 વર્ષથી ઓછા સમય સુધી કામ કર્યા પછી ગ્રેચ્યુઈટીનો લાભ મળી રહ્યો છે, તો તમને ગ્રેચ્યુઈટી તરીકે મૂળ પગારની બમણી રકમ મળશે. તે જ સમયે, 1 થી 5 વર્ષ માટે નોકરી પર મૂળ પગારના 6 ગણા સુધી ઉપલબ્ધ છે. બીજી તરફ, 20 વર્ષથી વધુ સમય માટે, તમે મૂળ પગારના 33 ગણા સુધી ગ્રેચ્યુઇટીની રકમ મેળવી શકો છો.

ગ્રેચ્યુઈટી શું છે?
દરેક કર્મચારીના પગારનો એક ભાગ ગ્રેચ્યુઈટી અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા માટે કાપવામાં આવે છે. ગ્રેચ્યુટી માટે નાનો ભાગ કર્મચારીને અને મોટો ભાગ એમ્પ્લોયરને આપવો પડે છે. જ્યારે કર્મચારી કોઈ કંપનીમાં 5 વર્ષ સુધી સતત કામ કરે છે, તો તે આ ગ્રેચ્યુઈટી લેવાનો હકદાર બને છે. જ્યારે કર્મચારી નિવૃત્ત થાય છે અથવા કંપની છોડી દે છે, ત્યારે આ ગ્રેચ્યુઇટીની રકમ કંપનીના કર્મચારીને આપવાની રહેતી હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news