ગજબનો છે આ બેંકનો આઇડિયા, પગપાળા ચાલનારા સેવિંગ એકાઉંટ પર મળે છે 21%નું વ્યાજ

બેંકે આ વ્યાજદર એટલા માટે રાખ્યા છે કોઇ પણ સામાન્ય માણસ દરરોજ 10,000 પગલાં ચાલી ન શકે. તમને જણાવી દઇએ કે યૂક્રેનની રાજધાની કીવમાં જોરદાર ઠંડી પડે છે. ઘણા ગ્રાહકો એટલા માટે ખુશ છે તેમને પગપાળા ચાલવું પણ સારું લાગે છે

ગજબનો છે આ બેંકનો આઇડિયા, પગપાળા ચાલનારા સેવિંગ એકાઉંટ પર મળે છે 21%નું વ્યાજ

કદાચ તમને સાંભળીને આશ્વર્ય થશે, પરંતુ આ સાચું છે. યૂક્રેનમાં ત્યાંના મોનો બેંકે એક ખાસ પહેલ કરી છે. દેશમાં પગપાળા ચાલવાને પ્રોત્સાહન આપવા માટે બેંકે પોતાના વ્યાજદરને પગપાળા ચાલવા સાથે જોડી દેવામાં આવ્યું છે. તેમાં આ શરત રાખવામાં આવ્યું છે કે દરરોજ ઓછામાં ઓછા 10,000 પગલાં ચાલવા પડશે. મોનો બેંક હજુ ત્યાં નવી બેંક છે. તેની શરૂઆત 2015માં થઇ છે. ગત ત્રણ વર્ષોમાં બેંકે પોતાની સાથે પાંચ લાખ ગ્રાહકોને જોડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. 

મળે છે શાનદાર 21 ટકા વ્યાજ
મોનો બેંકે પોતાના વ્યાજવાળા બેંક એકાઉંટને સ્પોર્ટ્સ ડિપોઝિટ એકાઉંટનું નામ આપ્યું છે. તેના હેઠળ બેંક ગ્રાહકોને પોતાના મોબાઇલ ફોનમાં એક હેલ્થ એપ ડાઉનલોડ કરવાની હોય છે. આ એપ ગ્રાહકોને રોજની શારીરિક ગતિવિધિઓનું ધ્યાન રાખે છે. આ એપ પર જે પણ ગતિવિધિઓ થાય છે, તેનો ડેટા બેંક પાસે હોય છે. જે ગ્રાહક બેંકના માનદંડ મુજબ પગપાળા ચાલવાનો લક્ષ્ય પુરો કરે છે, બેંક તેના ખાતામાં 21 ટકા વ્યાજના રૂપમાં રકમ આપે છે. રસપ્રદ વાત એ છે કે જો કોઇ સતત ત્રણ દિવસ સુધી 10,000 હજારથી ઓછા પગલાં ચાલે છે તો તેને ફક્ત 11 ટકા જ વ્યાજ મળે છે. તમને જણાવી દઇએ કે હાલ બેંકે 50 ટકા ગ્રાહક 21 ટકા વ્યાજ દર પ્રાપ્ત કરી રહ્યા છે. 

લોકોએ તેને પડકાર સ્વરૂપે લીધુ
બેંકે આ વ્યાજદર એટલા માટે રાખ્યા છે કોઇ પણ સામાન્ય માણસ દરરોજ 10,000 પગલાં ચાલી ન શકે. તમને જણાવી દઇએ કે યૂક્રેનની રાજધાની કીવમાં જોરદાર ઠંડી પડે છે. ઘણા ગ્રાહકો એટલા માટે ખુશ છે તેમને પગપાળા ચાલવું પણ સારું લાગે છે અને રોજ લક્ષ્યને પુરો કરવાનો હોય છે.

બેંકના સીઇઓને સૂઝ્યો આઇડિયા
લોકોને પગપાળા ચાલવ માટે પ્રોત્સાહિત કરવા માટે આ શાનદાર આઇડિયા બેંકના ત્રણ સીઇઓ-ડિમા ડુબિલેટ, મિશા રોગાલ્સકી અને ઓલેગ ગોરોખોવસ્કીને આવ્યો. જોકે યૂક્રેનમાં મોટાપાની સમસ્યાવાળા લોકોની સંખ્યા છે. તેમાં સતત વધારો પણ જોવા મળી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર અહીં વર્ષ 2030 સુધી 50 ટકા પુરૂષ મોટાપાનો શિકાર થઇ જશે. 

બેઇમાની પર ઘટી જાય છે વ્યાજ
જો ગ્રાહક પગપાળા ચાલવાને લઇને બેઇમાની કરે છે બેંક તેમને મળનાર વ્યાજમાં કાપ કરી દે છે. દૈનિક ભાસ્કરના સમાચાર અનુસાર, બેંકની તપાસમાં કેટલાક એવા કિસ્સા સામે આવ્યા જેમાં જોવા મળ્યું કે લોકો પગપાળાના બદલે એપને સ્ટાર્ટ કરી ફોન ગાડીમાં રાખે છે. પકડાઇ જતાં આવા ગ્રાહકોને બેંકે સજા આપતાં તેમના વ્યાજદર ઘટાડી દીધા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news