આ મહિલાથી 'ખુબ ગભરાય' છે ઈમરાન ખાન અને પાકિસ્તાનની સેના, ખાસ જાણો તેના વિશે

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણમાં ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદનો આપ્યાં. આ દરમિયાન પાકિસ્તાનની જ એક મહિલા માનવાધિકાર કાર્યકર્તા ગુલાલઈ ઈસ્માઈલે શુક્રવારે સવારે ન્યૂ યોર્કના રસ્તા પર ઈમરાન ખાન અને પાકિસ્તાની સેનાની પોલ ખોલી નાખી.

આ મહિલાથી 'ખુબ ગભરાય' છે ઈમરાન ખાન અને પાકિસ્તાનની સેના, ખાસ જાણો તેના વિશે

નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણમાં ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદનો આપ્યાં. આ દરમિયાન પાકિસ્તાનની જ એક મહિલા માનવાધિકાર કાર્યકર્તા ગુલાલઈ ઈસ્માઈલે શુક્રવારે સવારે ન્યૂ યોર્કના રસ્તા પર ઈમરાન ખાન અને પાકિસ્તાની સેનાની પોલ ખોલી નાખી. ગુલાલઈ ઈસ્માઈલે પાકિસ્તાનમાં સેના દ્વારા લઘુમતીઓ વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારો સામે અવાજ  ઉઠાવ્યો. 

ગુલાલઈ ઈસ્માઈલ પાકિસ્તાનની માનવાધિકાર કાર્યકર્તા છે અને હાલમાં તે ત્યાંથી જીવ બચાવીને અમેરિકામાં રાજકીય શરણ મેળવવાના પ્રયત્ન કરી રહી છે. ગુલાલઈ પાકિસ્તાનમાં લઘુમતીઓ અને મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારો વિરુદ્ધ સતત અવાજ ઉઠાવતી રહી છે. ગુલાલઈએ પાકિસ્તાની સેના પર આરોપ લગાવ્યો કે સેના અલ્પસંખ્યક મહિલાઓનો બળાત્કાર કરે છે અને તેમને ગાયબ કરી દે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાની સેના દ્વારા આતંકવાદને ખતમ કરવાના નામે નિર્દોષ પશ્તુનોની હત્યા થાય છે. 

ગુલાલઈએ કહ્યું કે હજારો લોકોને યાતના કેન્દ્રો અને જેલમાં પાકિસ્તાની સેનાએ બંધક બનાવીને રાખ્યા છે. તેમણે કહ્યું કે અમારી માગણી છે કે પાકિસ્તાની સેના દ્વારા થઈ રહેલા માનવાધિકાર ભંગને તત્કાળ રોકવામાં આવે. યાતના કેન્દ્રો અને જેલમાં બંધ લોકોને છોડી મૂકવામાં આવે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં તેના વિરુદ્ધ અવાજ ઉઠે તો તેના પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવે છે. તેમણે કહ્યું કે ખેબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની સેના દ્વારા તાનાશાહી થઈ રહી છે. 

જુઓ LIVE TV

પાકિસ્તાનમાં લઘુમતીઓ માટે આશાનો નવો ચહેરો બનેલી ગુલાલઈ ઈસ્માઈલને પોતાના પરિવાર અને તેમને ત્યાંથી બહાર નીકળવામાં મદદ કરનારા અંડરગ્રાઉન્ડ નેટવર્કની ચિંતા થઈ રહી છે. અત્રે જણાવવાનું કે ગુલાલઈએ પાકિસ્તાની સેનાના અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યાં બાદથી પાકિસ્તાનમાં તેમની સામે રાજદ્રોહનો કેસ નોંધાયો છે. જેના પગલે તેમણે પાકિસ્તાન છોડીને ભાગવાની ફરજ પડી. 

થોડા દિવસ પહેલા જ અફઘાનિસ્તાનના પત્રકાર બશીર અહેમદ ગ્વાખ સાથે ગુલાલઈએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે પાકિસ્તામાં લગભગ 6 મહિનાથી છૂપાઈને રહી. ત્યારબાદ જીવ બચાવીને પોતાના મિત્રોની મદદથી તે પાકિસ્તાનથી શ્રીલંકા પહોંચી અને ત્યારબાદ ત્યાંથી અમેરિકા ગઈ. ગુલાલઈ પાકિસ્તાની સેના દ્વારા મહિલાઓના બળાત્કાર અને અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. 32 વર્ષની માનવાધિકાર કાર્યકર ગુલાલઈ ઈસ્માઈલ ન્યૂ યોર્કના બ્રુકલિનમાં રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news