ZEE Arogya Mahasanman 2020: DY.CM નીતિન પટેલનાં હસ્તે મહાનુભાવોનું સન્માન

Zee Media ગ્રૂપની એક પરંપરા રહી છે. સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા મહાનુભાવો, યુવાઓ, હસ્તીઓની સરાહનીય કામગીરીને બિરદાવાનો મોકો ક્યારેય ચૂકતું નથી. ગુજરાતના નસ-નસમાં વહેતા ઔદ્યોગિક ક્ષેત્રે એવોર્ડ આપ્યા બાદ હવે ZEE 24 કલાક આરોગ્ય ક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર શ્રેષ્ઠીઓને મહાસન્માન આપવા જઈ રહ્યું છે. ગુજરાતની જનતા માટે તંદુરસ્તીનો મહાયજ્ઞ ચલાવતા મહાનુભાવોને આજે ZEE 24 કલાકના માધ્યમથી સન્માનિત કરવામાં આવશે. ‘ZEE આરોગ્ય મહાસન્માન 2020’ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનારા લોકોનું સન્માન કરવામાં આવશે.

Trending news