વડોદરા: મહીસાગર નદીના પુલ પરથી બે યુવાનોએ મિત્રોને ફોન કરી લગાવી મોતની છલાંગ

વડોદરાના સાવલીના કનોડા-પોઇચા પાસે મહીસાગર નદીના પુલ ઉપરથી બે યુવાનોએ માર્યો મોતનો ભૂસકો. આણંદના ઉમરેઠ તાલુકાના ખોરવાડ ગામ ના યુવાનો એ માર્યો ભૂસકો. ગ્રામજનોને ઘટના ની જાણ થતાં ઉમટ્યા લોકટોળા. મોત ની છલાંગ લગાવતા પહેલા બને યુવાનો એ ફોન કરી અન્ય મિત્રો ને કરી જાણ. વડોદરા ફાયરબ્રિગેડ ની ટીમ અને પોલીસે યુવાનો ની મોડી રાત સુધી કરી શોધખોળ. યુવરાજ નરેન્દ્રસિંહ અને નિલેશ ચૌહાણ યુવાનોના છે નામ. અંધારું હોવાને કારણે ફાયર વિભાગ ને યુવાનો ને શોધવામાં ન મળી સફળતા. આજે સવારે ફરી હાથ ધરાશે શોધખોળ.

Trending news