માલધારીઓની માગ સામે આદિવાસીઓ મેદાને આવ્યા, ગાંધીનગર તરફ વિરોધ કૂચ યોજશે

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી માલધારીઓ આદિવાસીઓના દરજ્જાની માગ કરી રહ્યાં છે. ત્યારે હવે માલધારીઓની માગ સામે આદિવાસીઓ મેદાને આવ્યા છે. માલધારીઓની આદિવાસીનો દરજ્જો આપવાનો વિરોધ કરવા માટે ખેડબ્રહ્મા, વિજયનગર, અને પોશીના વિસ્તારના આદિવાસીઓ આજે ગાંધીનગર કૂચ યોજશે. આદિવાસીઓએ માલધારીઓને જો દરજ્જો અપાય તો તેમને અન્યાય થાય તેને લઇને વિરોધ કૂચ યોજશે. ગાંધીનગર સુધી યોજાનાર આ કૂચમાં વિધાનસભાના દંડક અશ્વિન કોટવાલની આગેવાનીમાં યોજાશે. જિલ્લામાં કૂચ રોકવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. હિંમતનગરમાં મોતીપુરા સર્કલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયોદંડક અશ્વિન કોટવાલ સહિત 15 વ્યક્તિઓને ડિટેન કરાયા.

Trending news