Zee 24 Kalakના અહેવાલ બાદ તંત્ર થયું દોડતું

રાધનપુર તાલુકાના સાતુંન ગામે તળાવમાં નગરપાલિકા દ્વારા છોડતા દૂષિત પાણી તેમજ જીઆઇડીસીના કેમિકલ યુક્ત પાણી સાતુંન ગામના તળાવમાં ઠાલવવામાં આવતા અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા હતા. માછલીઓના મોતથી ગ્રામજનોમાં રોગચાળો ફેલાવવાની દહેશત ઉભી થવા પામી છે. ગ્રામજનો દ્વારા અનેક રજુઆત પાલીકા સહિત ઉચ્ચ કક્ષાએ કરી હોવા છતાં કોઈ પગલાં આજ દિન સુધી ભરાયા નથી તેને કારણે હાલતો ગ્રામજનો ભયના ઓથા તળે જીવી રહ્યા છે.

Trending news