કોંગ્રેસના સેવાદળના સાહિત્યથી ઉભો થયો નવો વિવાદ, ઉલ્લેખ કર્યો ગોડસે અને સાવરકરનો...

વીર સાવરકર પર કોંગ્રેસે અપમાનજનક ટિપ્પણી કરતા નવો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના સેવાદળના સાહિત્યમાં નાથુરામ ગોડેસ અને સાવરકર વચ્ચે આપત્તિજનક સંબંધો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. દેશભરમાં કોંગ્રેસ કાર્યકરોમાં આ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી અને પણ વિવાદિત ટિપ્પણીઓ કરાઈ છે. આ પુસ્તરકનું વિતરણ કરીને કોંગ્રેસ યુવાઓને ગેરમાર્ગે દોરી રહ્યું હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે. સાથે જ સાવરકર પર આ પ્રકારની અપમાનજનક ટિપ્પણી બદલ કોંગ્રેસની માંફીની પણ માંગ કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રીયા આપી છે.

Trending news