વડાપ્રધાન : ચાર રાજ્યોની જનતા અને ખેડૂતોને મળી રહ્યો છે નર્મદાનો લાભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાત સરકાર દ્વારા નમામિ દેવી નર્મદે મહોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે અને સવારથી સરદાર સરોવર ડેમ સાઇટની મુલાકાતે છે. આ પ્રસંગે વડાપ્રધાને પણ વક્તવ્ય પણ આપ્યું છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, હું તમામ ગુજરાતીઓને નર્મદા ઉત્સવના આ પ્રસંગે હું શુભેચ્છા પાઠવું છું. ચાર રાજ્યોને જનતા અને ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. કેવડિયામાં પ્રકૃતિ અને વિકાસનો અનુભવ થયો છે. અને સરદાર પટેલની ભવ્ય પ્રતિમા અમને આશિર્વાદ આપતી નજર આવે છે

Trending news