વડાપ્રધાને ગરૂડેશ્વર મંદીરમાં નમાવ્યું શિશ

પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નર્મદા નદીના નીરના વધામણા કરવાની ખાસ તક મળી હતી. નર્મદા ડેમ પાસે પ્રવાસન તરીકે વિકસાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરીને પીએમ મોદી ગરુડેશ્વર પહોંચ્યા છે. જન્મદિવસ હોઈ તેમણે ગુજરાતના 105 વર્ષ જૂના મંદિરમાં દત્ત ભગવાન સામે શિશ ઝૂકાવ્યું હતું. તેમણે મંદિરમાં સમાધિસ્થળની પણ મુલાકાત લીધી હતી. મંદિર દર્શન બાદ તેઓ ડેમ સાઈટ પાસે જાહેર સભાને સંબોધન કરશે. નર્મદાના કાર્યક્રમો પૂર્ણ કરી પીએમ ગાંધીનગર પરત ફરશે.

Trending news