બનારસમાં પીએમ મોદીએ કહ્યું- મિડીયાએ તો માની જ લીધું છે કે મોદી જીતી ગયા છે

પીએમ મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી માટે ઉમેદવારીપત્ર ભરવાના છે. સવારે 11.30 કલાકે ઉમેદવારીપત્ર ભરવાના છે. પીએમ મોદીના નામાંકનમાં સામેલ થવા માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વારાણસી પહોંચ્યા છે. અહીં તેમણે કાલ ભૈરવના મંદિરમાં પૂજા અર્ચના પણ કરી. ભાજપના સહયોગી દળના નેતાઓ પણ વારાણસી પહોંચી ગયા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ નેતાઓ સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ નામાંકન પહેલા બૂથ કાર્યકરોને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે દેશના તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કરું છું. હું પણ બૂથ કાર્યકર રહી ચૂક્યો છું. મને પણ દીવાલો પર પોસ્ટર ચિપકાવવાની તક મળી હતી.

Trending news