9 સંતાનોને સાંકળથી બાંધવા મજબૂર માતાપિતા, કુદરતની આતે કેવી પરીક્ષા

ભગવાન અને કુદરત જ્યારે સાથ ન આપે ત્યારે કયા દુખ કેવી રીતે આવીને તમારી ઝોળીમાં પડે તે કહી ન શકાય. આ દુઃખ સાથે જીવન ચોક્કસ ભાર જેવું લાગે છે. મનોમન એક દયાની લાગણી ઉભી થઈ જાય છે. આવો જ એક પરિવાર ગોંડલમાં જોવા મળ્યો, જેનો કિસ્સો સાંભળીને તમને પણ દયા આવશે. ગોંડલના સરણીયા પરિવારને સંતાનમાં 9 બાળકો છે, અને આ તમામ સંતાનો મનોદિવ્યાંગ છે. એકસાથે 9 મનોદિવ્યાંગ બાળકોને માનસિક રોગીની હોસ્પિટલમા ન મૂકીને જાતે જ ઉછેરતા જોઈને આ દંપતી પર તમને દયા ઉપજી આવશે.

Trending news