કલંક પર ચૂકાદો: આજે સુરત સેશન્સ કોર્ટ નારાયણ સાંઇને સંભળાવશે સજા

આસારામના પુત્ર નારાયણ સાંઈ સામેના દુષ્કર્મ કેસમાં આજે સજાની જાહેરાત થવાની છે. થોડા દિવસો પહેલાં કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે સાંઈને દોષિત જાહેર કર્યો છે. નારાયણ સાઈ વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાધિકા પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. યુવતીનો આરોપ હતો કે નારાયણ સાંઈએ તેની સાથે વર્ષ 20002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ આચર્યુ હતું.

Trending news