મુસલમાનોને ડિટેન્શન સેન્ટરમાં મોકલવાની વાત અફવા છે, દેશમાં છે જ નહીં: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીના રામલીલા મેદાનમાં આજે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા વિરોધી પક્ષોને બરાબર આડે હાથ લીધા. તેમણે દેશવાસીઓને ખાસ કરીને મુસલમાનોની સામે નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) અને NRCને લઈને હકીકત રજુ કરવાની કોશિશ કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેમના સાથી અર્બન નક્સલી એનઆરસી પર દેશના મુસલમાનોને ડિટેન્શન સેન્ટરનો ડર બતાવી રહ્યાં છે. જ્યારે તેમની સરકાર બન્યા બાદથી આજ સુધી એનઆરસી શબ્દની ચર્ચા સુદ્ધા થઈ નથી. તેમણે કહ્યું કે ડિટેન્શન સેન્ટરમાં મોકલવાની વાત તો દૂર રહી...દેશમાં ક્યાંય ડિટેન્શન સેન્ટર પણ નથી. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ વોટ બેંક માટે ભાગલાની રાજનીતિ કરતી આવી છે. તે સત્તાથી દૂર છે તો તેણે વળી પાછું ભાગલા પાડવાનું પોતાનું જૂનું હથિયાર બહાર કાઢ્યું છે.

Trending news