CAAના વિરોધ વચ્ચે સારા સમાચાર, ગુજરાત સરકાર આપી રહી છે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને આમંત્રણ

કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવવામાં આવી રહેલા નાગરિકતા સંશોધન કાયદા મુજબ બાંગ્લાદેશના નાગરિકો ભારતમાં રહી શકશે નહિ, પરંતુ ગુજરાતનો શિક્ષણ વિભાગ બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ કરવા માટે સામે ચાલીને બોલાવવા જઇ રહ્યું છે. સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમ માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં સરકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ 12 દેશોમાં વિદ્યાર્થીઓને આકર્ષવા માટે રોડ શો યોજાશે. આ પ્રતિનિધિ મંડળ બાંગ્લાદેશ પણ જશે અને ત્યાંના વિદ્યાર્થીઓને ગુજરાત આવવાનું આમંત્રણ આપશે.

Trending news