MLAને આબુ લઈ જવાના કોંગ્રેસના નિર્ણય પર જુઓ ધવલસિંહ ઝાલાએ શું કહ્યું

ગુજરાત રાજ્યસભા ચૂંટણી પહેલા રાજકારણ કરાયું છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા ક્રોસ વોટિંગથી બચવા કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આજે સાંજે આબુ લઈ જવાની છે. ત્યારે કોંગ્રેસથી નારાજ ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આબુ નહિ જાય તેવું જાણવા મળ્યુ છે. પરંતુ આ પહેલા જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ મોટો ધડાકો કર્યો છે. અલ્પેશે દાવો કર્યો કે, 18 ધારાસભ્યો કોંગ્રેસ છોડવા માંગે છે. તો સામે ધવલસિંહે પણ કહ્યું કે, 10થી 15 ધારાસભ્યો આબુ નહિ જાય.

Trending news