મૃતદેહ અદલા બદલી મામલો: વી.એસ. હોસ્પિટલના સત્તાધીશોએ કહ્યું જે ગુનેગાર હોય તેની સામે પગલાં લેવાશે

મૃતદેહ અદલા બદલી મામલે વી.એસ. હોસ્પિટલના સત્તાધીશોએ છે. વી એસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. મનીષ પટેલે જણાવ્યું કે 5 સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. વધુમાં તેમને કહ્યું કે જે બનાવ બન્યો છે તે દુઃખદ છે અને રી-પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ છે. આગળ જણાવતા તેમણે કહ્યું કે એક સર્વન્ટ દ્વારા ભૂલથી મૃતદેહ બદલાયો હતો. અને જે ગુનેગાર હોય તેની સામે પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે સર્વન્ટથી ભૂલ થઈ તેને હાલ કામથી અળગા રાખવામાં આવ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું.

Trending news