હવે BRTS કોરીડોરમાં નહિ ચાલે AMTS બસ

હાલમાં અમદાવાદમાં બીઆરટીએસ કોરીડોરમાંથી એએમટીએસ બસો બહાર દોડાવવાને લઇને વિવાદ સર્જાયેલો છે, ત્યારે આવા સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનની કારોબારી સમિતીના ચેરમેનનુ ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યુ છે. જેમાં તેઓએ એએમટીએસ બસોને બીઆરટીએસ કોરીડોરમાં ચલાવવાનો નિર્ણય તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડી.થારાએ એકલા જ લીધો હોવાનુ જણાવ્યુ છે. જ્યારે હાલમાં એએમટીએસ બસને બીઆરટીએસ કોરીડોરની બહાર દોડાવવાનો નિર્ણય ફક્ત મ્યુનિસિપલ કોર્પોરેશનનો નહી, પરંતુ શહેર પોલીસ-ટ્રાફીક પોલીસ અને રાજ્યના વાહનવ્યવહાર કમિશ્નરનો સંયુકત હોવાનુ કહ્યુ છે.

Trending news