અંબાજી: CM રૂપાણીના હસ્તે ભાદરવી પૂનમના મહામેળાનું થયું ઉદ્ધઘાટન, જુઓ શું છે માહોલ

સીએમ વિજય રૂપાણી મેળાને ખુલ્લો મૂક્યો હતો. લોકમેળાને ખુલ્લો મૂકતા પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની સાથે અંબાજી મંદિર પહોંચ્યા હતા. તેમણે પત્ની અંજલીબેન રૂપાણી સાથે માતાજીની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રી શ્રીફળ વધેરીને માતાજીના રથને પ્રસ્થાન કરાવીને મહામેળાનો વિધીવત પ્રારંભ કરાવ્યો. આ સાથે જ અપંગ, અશક્ત, દિવ્યાંગો માટે મેળા દરમિયાન ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક બસ સેવાનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

Trending news