સફાઈ કરવા ગટરમાં ઉતરેલા 4 મજૂરોના ગેસ ગળતરથી કરૂણ મોત

અમદાવાદ : સફાઈ કરવા ગટરમાં ઉતરેલા 4 મજૂરોના ગેસ ગળતરથી મોત.ઓઢવ વિસ્તારમાં આવેલ અંબિકા નગર પમ્પિંગ સ્ટેશનમાં ગઈકાલે ગટર સાફ કરવાનું કામ ચાલી રહ્યું હતું. રાત્રિ દરમિયાન ગટર સાફ કરવા માટે ચાર મજૂરો ગટરમાં ઉતર્યા હતા. ગેસ ગળતરની અસર ચારેય મજૂરોને થઈ હતી. જેથી તેઓના મોત નિપજ્યા હતા. રમેશભાઈ, સુનિલ, લાલસિંહ, સર્વજિત નામના ચાર મજૂરો મહિમા ઈન્ડસ્ટ્રીઝ હેટળ સફાઈનું કામ કરતા હતા. તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર ક્રયા હતા. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, આ તમામ મજૂરો સેફ્ટીના સાધનો વગર અંદર ઉતર્યા હતા.

Trending news