હાજીપુર કેનાલ News

ચાર યુવકો એક જ બાઈક પર જઈ રહ્યા હતા, હિંમતનગર પાસે ખાલી કેનાલમાં પડતા એકનું મોત
સાબરકાંઠા હિંમતનગર હાજીપૂર પાસે કેનાલમાં બાઇક ખાબકતા એક યુવકનું મોત નિપજ્યું છે. તેમજ તેની સાથે બાઈક પર બેસેલ અન્ય ત્રણ યુવકો ઈજાગ્રસ્ત બન્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ યુવકો બાઈક પર અમદાવાદથી હિંમતનગર તરફ આવી રહ્યા હતા. એક બાઈક પર ચાર યુવાનો સવાર હતા. હાજીપુર પાસેની ખાલી કેનાલ પાસેથી પસાર થતા સમયે લાઈટથી અંજાઈ જતા બાઈક કેનાલમાં ખાબક્યું હોવાનું પ્રાથમિક તારણ એ-ડિવિઝન પોલીસે કાઢ્યું છે. વહેલી સવારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. મૃત યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયો છે. તેમજ અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 
Jul 3,2020, 9:56 AM IST

Trending news