લો એન્ડ ઓર્ડર News

DGPની ચેતવણી, આવતીકાલથી ખુલનારી દુકાનોમાં નિયમોનું પાલન નહિ થાય તો ગુનો દાખલ થશે
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનની સ્થિતિનો ચિતાર આપતા ડીજીપી શિવાનંદ ઝાએ શનિવારે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો યોગ્ય અમલ કરવાના પુરતા પ્રયાસો કરાઇ રહ્યા છે. ગાડીમાં બે અને બાઇક પર એક જ વ્યકિતને જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે બહાર નિકળવાની મંજુરી છે. 100 નંબર પર લોકડાઉનની મળેલી ફરિયાદના આધારે 29 ગુના દાખલ કરવામાં આવ્યા છે. લોકડાઉનમાં આઇબી દ્વારા પણ વોચ રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગગ વધારવામાં આવુ છે, ખાનગી વાહનો અને ફુટ પેટ્રોલિંગ અને બાઇક પર પેટ્રોલિંગ કરાઇ રહ્યુ છે. લોકડાઉન ભંગની ફરિયાદ આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પર હુમલાના કેસમાં પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. સરદારનગર વિસ્તારમાં પોલીસ પર કરલો હુમલો, પાટણમાં એલઆરડી પર થયેલો હુમલો, રાજકોટમાં પણ પોલીસ પર હુમલો, ભરૂચમાં પણ પોલીસ પર થેયેલા હુમલમાં પાસા કરાઇ છે. કુલ 13 ગુનામાં 35 આરોપીઓને અત્યાર સુધી પાસા કરાયા છે. 
Apr 25,2020, 16:34 PM IST

Trending news