બન્છાનીધી પાની News

સુરત: ભીના કચરામાંથી ખાતર તો બને છે પરંતુ માત્ર કાગળ પર, કરોડોનું આંધણ !
સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ કરવા માટે શહેરના અલગ અલગ ઝોનમાં પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. જેમાં ભીના કચરામાંથી ઓર્ગેનિક ખાતર બનાવવા ચાલીસ લાખથી વધુના ખર્ચે પ્લાન્ટ નાંખવામાં આવ્યા છે. પરંતુ સુરતના આંજણાફાર્મ ખાતે મુકવામાં આવેલ ઓર્ગેનિક પ્લાન્ટ માં મોટાપાયે ગોબાચારી આચરવામાં આવતી હોવાના આરોપ કોંગી કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ કર્યા છે. ઓર્ગેનિક ખાતર માટે મુકવામાં આવેલ પ્લાન્ટ છેલ્લા છ માસથી સદંતર બંધ હાલતમાં છે. રેકોર્ડ પર પ્રતિદિવસ ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું દર્શાવી પ્રજાની તિજોરીમાંથી પ્રતિમાસ એક લાખથી વધુની ઉચાપત કરવામાં આવી રહી છે.
Jan 22,2020, 18:33 PM IST

Trending news