ગણપતિ મૂર્તિ News

આ વર્ષે અમદાવાદમાં ગણપતિના મોટા પંડાલ નહિ લાગે, મૂર્તિઓ પણ 2 ફૂટની હશે
કોરોના મહામારીમાંથી સમગ્ર દેશ પસાર થઈ રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં દેશના વડાપ્રધાનને તહેવારોની ઉજવણી સાદાઈથી કરવા આહ્વાન કર્યું છે. ત્યારે આગામી ગણેશ ઉત્સવને લઈ અમદાવાદમાં મોટા ગણપતિના પંડાલ નહિ લાગે. પરંપરાને જાળવવા માટે માત્ર 2 ફૂટની માટી મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. તેમજ અમદાવાદમાં કોરોના અવેરનેસના કાર્યક્રમો કરવાનો નિર્ણય અનેક યુવા મંડળોએ લીધો છે. અમદાવાદમાં મણિનગરમાં આવેલી દક્ષિણી સોસાયટી જ્યાં બહુ મોટા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે તે પણ આ વર્ષે સરકારની ગાઈડલાઈન ફોલો કરીને ગણેશ ઉત્સવ ઉજવશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે 2 ફૂટની ગણપતિની મૂર્તિની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે. શિવશક્તિ યુવક મંડળના દક્ષિણ ચા રાજાના પ્રમુખ પરાગ નાઈકે કહ્યું કે, અમે સાદગીથી ગણેશ ઉત્સવ ઉજવીશું. 
Jul 3,2020, 12:10 PM IST

Trending news