વર્લ્ડ કપની મેચ માટે સ્ટેડિયમમાં પાર્કિંગની ખાસ માહિતી : પાર્કિંગ ચાર્જ વધારી દેવાયો, આ એપથી થશે પાર્કિંગનું બુકિંગ

ICC Cricket World Cup : સ્ટેડિયમની આસપાસ 15 પાર્કિંગ પ્લોટ, અડધાથી અઢી કિમી સુધી 15,000 ટૂ-વ્હીલર, 7000થી વધુ ફોર-વ્હીલર પાર્ક કરી શકાશે

વર્લ્ડ કપની મેચ માટે સ્ટેડિયમમાં પાર્કિંગની ખાસ માહિતી : પાર્કિંગ ચાર્જ વધારી દેવાયો, આ એપથી થશે પાર્કિંગનું બુકિંગ

Ahmedabad Narendra Modi Stadium : વન-ડે વર્લ્ડ કપ 2023 માટે અમદાવાદ સજ્જ બન્યું છે. આવતી કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ માટે પ્રેક્ષકો માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશેષ સુવિધા ઉભી કરાઈ છે. જેથી કોઈ અવગવડતા ન પડે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને પાર્કિંગની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં કુલ 15 પ્લોટ પાર્કિંગ માટે અનામત રખાયા છે. જોકે, આ માટે પાર્કિંગ ચાર્જ વધારી દેવાયો છે. ટૂ-વ્હીલર માટે રૂપિયા 100 રૂપિયા અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 રૂપિયા ચાર્જ રહેશે. વન-ડે મેચના કારણે વધારે સમય સુધી વાહન પાર્ક કરવાનુ હોવાથી ચાર્જ બમણો કરી દેવાયો છે. 

ક્રિકેટ વર્લ્ડ કપની અમદાવાદ ખાતે રમાનાર મેચ માટે પાર્કીંગની ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં કુલ ૧૫ પ્લોટ પાર્કીંગ માટે અનામત રખાયું છે. આ જગ્યામાં ૧૫૦૦૦ ટુ વ્હીલર અને ૭૦૦૦ ફોર વ્હીલર પાર્ક થઈ શકે તેવા પાર્કીંગની વ્યવસ્થા છે. જોકે, ટૂ-વ્હીલર માટે રૂપિયા 100 રૂપિયા અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ વસૂલવામાં આવશે. વન ડે મેચ ના કારણે વધારે સમય સુધી વાહન પાર્ક કરવાનુ હોવાથી ચાર્જ બમણો કરી દેવાયો છે. આ માટે Show My Parking નામની એપ્લિકેશન મારફત ઓનલાઈન પાર્કિંગ બુક કરાવવાનું રહેશે. ચાર પ્લોટ ટૂ-વ્હીલર માટે અને ૧૧ પ્લોટ ફોર વ્હીલર માટે ફાળવવામાં આવ્યા છે. ટ્રાફીક પોલીસના સહયોગથી વાહનોનું પાર્કિંગ કરવામાં આવશે. 

આજે 4 ઓકટોબરે ન્યુઝીલેન્ડની ટીમ સવારે 10 થી 1 નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં પ્રેક્ટિસ કરશે. તેમની પ્રી-મેચ મીડિયા કોન્ફરન્સ્ 9.30 વાગ્યે યોજશે. ઈંગ્લેન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 18:00 થી 21:00 IST સુધી પ્રેક્ટિસ કરશે. તેઓ લગભગ 16h00 વાગ્યે સત્ર પછી તેમની પ્રી-મેચ મીડિયા કોન્ફરન્સ યોજશે. બપોરે 2.30 કલાકે કેપ્ટનસ ડે કાર્યક્રમ યોજાશે. તમામ 10 ટીમના કેપ્ટન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચશે. 

તો સાથે જ અમદાવાદમાં વર્લ્ડકપ મેચ વખતે મેટ્રો ટ્રેન રાત્રે 1 વાગ્યા સુધી દોડાવાશે. અમદાવાદમાં યોજાનારી મેચને પગલે રાત્રે 10 વાગ્યા બાદ મેટ્રો સ્ટેશનમાં માત્ર એક્ઝિટ ગેટ ખોલાશે. મુસાફરો માટે પેપર ટિકિટની સુવિધા ઉભી કરાઈ છે, જેથી ક્યાંય મેટ્રો સ્ટેશન પર ટ્રાફિક જામ ન થાય. 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એક ડીઆઈજી.7 ડીસીપી, 11એસીપી. 25પીઆઈ.  68 પીએસઆઇ હાજર રહેશે. 1631 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news