Astro Tips: અજમાવો આ 8 માંથી કોઈ એક ઉપાય, ગરીબી, નિષ્ફળતા અને સમસ્યાઓથી મળશે મુક્તિ

Astro Tips: ગ્રહ દોષને દૂર કરવા માટે અને ભાગ્યની સ્થિતિ સુધારવા માટે લાલ કિતાબમાં કેટલાક ઉપાયો દર્શાવાયા છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધરે છે અને દરિદ્રતાથી મુક્તિ મળે છે. 

Astro Tips: અજમાવો આ 8 માંથી કોઈ એક ઉપાય, ગરીબી, નિષ્ફળતા અને સમસ્યાઓથી મળશે મુક્તિ

Astro Tips: દરેક વ્યક્તિ સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા દિવસ રાત મહેનત કરે છે. પરંતુ કેટલાક લોકોને જીવનમાં સફળતા મળતી નથી. અનેક પ્રયત્ન કરવા છતા કેટલાક લોકોના જીવનમાં સમૃદ્ધિ ટકતી નથી. ઘરમાં ધનની તંગી હંમેશા રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું ત્યારે થાય છે જ્યારે વ્યક્તિની કુંડળીમાં કેટલાક દોષ હોય. આ પ્રકારના દોષને દૂર કરવા માટે અને ભાગ્યની સ્થિતિ સુધારવા માટે લાલ કિતાબમાં કેટલાક ઉપાયો દર્શાવાયા છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધરે છે અને દરિદ્રતાથી મુક્તિ મળે છે. 

લાલ કિતાબના અચૂક ઉપાય

- ઘરમાં તિજોરી હોય અથવા તો એવી જગ્યા હોય જ્યાં તમે પૈસા અને કીમતી વસ્તુઓ રાખતા હોય તો ત્યાં ચાંદી અથવા સોનાના સિક્કાને લાલ કપડામાં બાંધીને શુભ મુહૂર્તમાં રાખી દેવો.

- શુક્રવારના દિવસે કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિને દાન કરવું, સાથે જ સંધ્યા સમયે શ્રદ્ધાપૂર્વક શ્રી સૂક્તમનો પાઠ કરવો.  આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. 

- ઘરમાં પૂજાનો જે રૂમ હોય ત્યાં શ્રી યંત્રની સ્થાપના કરવી અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે તે માટે નિયમિત રીતે શ્રી યંત્રની પૂજા કરવી. 

- ગુરુ ગ્રહ નબળો હોય ત્યારે પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેથી નિયમિત રીતે ગાયને ગોળ ખવડાવવાનું રાખવું. ગાયને ગોળ ખવડાવવાથી જીવનમાં આર્થિક સ્થિતિ સુધરે છે.

- શનિવારના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને જૂતા કે ચપ્પલનું દાન કરવું. આમ કરવાથી શનિદોષ દૂર થાય છે અને આર્થિક વૃદ્ધિ થાય છે.

- જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો કીડીઓને ખાંડ ખવડાવવી જોઈએ. આમ કરવાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે.

- જો કુંડળીમાં બુધ ગ્રહનો દોષ હોય તો પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેથી બુધવારના દિવસે ગૌશાળામાં જઈને ગાયને લીલો ચારો ખવડાવો.

- જો તમારી પાસે પૈસા આવતા હોય પરંતુ ટકતા ન હોય તો તમારા પર્સમાં તાંબાના ત્રણ સિક્કા રાખી દેવા. આમ કરવાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં રહે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news