લાખો લોકોનું જીવન બરબાદ કરી રહી છે 'તમાકુ', આ સરળ રીત અપનાવી છોડો વ્યસન

World No Tobacco Day 2023: દર વર્ષે લાખો લોકો તમાકુના સેવનથી થતા વિવિધ પ્રકારના કેન્સર અને રોગોને કારણે મૃત્યુ પામે છે. તબીબોના મતે આ એક એવું ઝેર છે જે ધીમે ધીમે માણસના જીવને મારી નાખે છે. ઘણા લોકોને તેની લત એટલી બધી હોય છે કે તેઓ ઈચ્છવા છતાં પણ તેનાથી છૂટકારો મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં, અમે તમને કેટલીક એવી રીતો અને ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ, જેને અપનાવવાથી તમને આ વ્યસનથી છુટકારો મેળવવામાં ઘણી હદ સુધી મદદ મળશે.

 


 

1/8
image

યોગ અને વ્યાયામઃ તમારી જીવનશૈલીમાં યોગ અને કસરતનો સમાવેશ કરો. તે મનને સ્થિર કરવામાં મદદરૂપ છે.આ સિવાય તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે.

 

2/8
image

 

હેલ્ધી ડાયટઃ  તમારા શરીરની સાથે-સાથે ખોરાકની અસર તમારા જીવન અને મનને પણ ઘણી હદ સુધી અસર કરે છે. આ કિસ્સામાં, સંતુલિત અને આરોગ્યપ્રદ આહાર લો. તંદુરસ્ત આહાર અપનાવવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને તમાકુની ઈચ્છા થશે.

3/8
image

અતરનો ઉપયોગ કરો- જો તમને તમાકુ સુંઘવાની લત છે તો કેવડા, ગુલાબ, ખસ કે કોઈ અન્ય અતરનો ઉપયોગ કરો. પરફ્યુમની સુગંધ કોટનમાં નાખો અને તેને તમારી સાથે રાખો. જ્યારે તમને તમાકુ સુંઘવાનું મન થાય ત્યારે આ રૂને સૂંઘો.

 

 

4/8
image

હર્બલ ટીઃ જો તમે તમાકુ અને સિગારેટની લતથી છુટકારો મેળવવા માંગો છો તો હર્બલ ટી ખુબ મદદગાર સાબિત થઈ શકે છે. અશ્વગંધા, તજનો પાઉડર અને જટામાંસી નાખીને ચા બનાવો અને પીવો.

5/8
image

સ્ટ્રેસ ન લોઃ તમાકુમાં નિકોટિન નામનો એકર નશીલો પદાર્થ હોય છે, જે શરીરમાં ઘણી ગંભીર બીમારીઓને જન્મ આપે છે. નોંધનીય છે કે ડિપ્રેશનની સમસ્યાનો સામનો કરી રહેલાં લોકોમાં નિકોટિન ઓછું જોવા મળે છે. તેવામાં લોકો તણાવ અને ડિપ્રેશનમાંથી બહાર નિકળવા માટે સ્મોકિંગ કે તમાકુનો સહારો લે છે. 

 

 

6/8
image

ઓપ્શન રાખોઃ તમાકુના વિકલ્પમાં વરિયાળી અને મિશ્રી સાથે રાખો. તેવામાં જ્યારે પણ તમાકુ ખાવાનું મન કરો તો આ મિશ્રી અને વરિયાળી ખાઈ લો. આ સિવાય તમે આંબલાનો પાઉડર પણ રાખી શકો છો. 

 

 

7/8
image

તમાકુના સેવનથી મનુષ્યને ફેફસાનું કેન્સર, બ્લેડર, લિવર, કિડની, પૈનક્રિયાઝ, કોલન અને પેટ સંબંધિત ઘણી બીમારીઓ થઈ શકે છે. 

8/8
image

તમને જણાવી દઈએ કે દર વર્ષે 31 મેના રોજ વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોમાં તમાકુથી થતા જીવલેણ રોગો વિશે જાગૃતિ ફેલાવવાનો છે.