Jagannath Rath Yatra 2024: રથયાત્રાના દર્શન કરી તેમાં સામેલ થવાથી મળે છે 100 યજ્ઞ કર્યાનું ફળ

Jagannath Rath Yatra 2024: હિન્દુ ધર્મમાં જગન્નાથ યાત્રાનું વિશેષ મહત્વ છે. દર વર્ષે અષાઢ મહિનાની બીજની તિથિએ રથયાત્રા નીકળે છે. જેમાં ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં સવાર થઈને નગરયાત્રા પર નીકળે છે. 

રથયાત્રાનું મહત્વ

1/6
image

જગન્નાથ રથયાત્રામાં કુલ ત્રણ રથ હોય છે જેમાં ભગવાન જગન્નાથના રથને નંદી ઘોષ કહેવાય છે. એનો રંગ લાલ અને પીળો હોય છે. દેવી સુભદ્રાનો રથ કાળો અને લાલ હોય છે અને તેનું નામ દર્પ દલન હોય છે. જ્યારે બલરામના રથનો રંગ લીલો હોય છે અને તેને લાલ ધ્વજ કહેવાય છે. 

ભગવાન જગન્નાથનો રથ

2/6
image

ભગવાન જગન્નાથનો રથ ત્રણેયમાં સૌથી ઊંચો હોય છે જેની ઊંચાઈ 45.5 ફૂટની હોય છે. બાકીના બંને રથની ઊંચાઈ તેનાથી અડધાથી એક ફૂટ જેટલી ઓછી હોય છે. 

લીમડાનું લાકડું

3/6
image

રથયાત્રાના ત્રણેય રથ બનાવતી વખતે ખીલી કે કોઈપણ પ્રકારની લોઢાની વસ્તુઓનો ઉપયોગ થતો નથી. આખો રથ લાકડાથી બનેલો હોય છે અને લાકડું પણ લીમડાનું જ વપરાય છે. 

અક્ષય તૃતીયા

4/6
image

રથયાત્રાના રથ બનાવવા માટે લાકડા પસંદ કરવાનું કામ પણ વસંત પંચમીથી શરૂ થાય છે. રથ બનાવવાનું કામ દર વર્ષે અક્ષય તૃતીયાથી શરૂ કરવામાં આવે છે. 

સોનાની જાડુ

5/6
image

જ્યારે ત્રણેય રથ બનીને તૈયાર થઈ જાય છે તો સૌથી પહેલા રાજા ગજ્પતિ તેની પૂજા કરે છે. ત્યાર પછી રાજા સોનાની જાડુથી રથ સાફ કરે છે અને પછી રથયાત્રાનો રસ્તો પણ સોનાની જાડુથી સાફ કરે છે. 

ભગવાન જગન્નાથ

6/6
image

ભગવાન જગન્નાથની રથયાત્રા એટલી ખાસ હોય છે કે જો કોઈ વ્યક્તિ ફક્ત રથયાત્રાના દર્શન કરી અને તેની સાથે પણ નીકળે તો તેને 100 યજ્ઞ કર્યા જેટલું પુણ્ય મળે છે. દર વર્ષે જગન્નાથપુરી ખાતે દેશ દુનિયામાંથી લાખોની સંખ્યામાં લોકો રથયાત્રાનો ભાગ બનવા માટે પહોંચે છે.